Ahmedabad: જુહાપુરામાં મકાનનો સ્લેબ ધરાશાયી થતાં એક મહિલા ઈજાગ્રસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં ચોમાસાની સિઝનમાં જૂના અને જર્જરિત મકાનોના સ્લેબ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. શહેરના જુહાપુરા વિસ્તારમાં જુના મકાનનો સ્લેબ ધરાશાયી થતાં એક મહિલા ઘાયલ થઈ હતી. ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
જુહાપુરામાં મકાનનો સ્લેબ તૂટતા મહિલા ઘાયલ
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના જૂહાપુરામાં વિશાલા બરફ ફેક્ટરી પાસેની નુરે ઇલાહી સોસાયટીમાં જૂના મકાનનો સ્લેબ ધરાશાયી થયો હતો. સ્લેબ ધરાશાયી થતાં એક મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. મહિલાને વધુ સારવાર માટે હોસ્પિટલમા ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ પહોંચી ગઈ હતી. ફાયર વિભાગે સ્લેબના કાટમાળને ખસેડવા કામગીરી હાથ ધરી હતી.
બિરજુ ફ્લેટમાં પાણીની ટાંકી તૂટી હતી
બીજી તરફ આજે સવારે અમદાવાદની આઝાદ સોસાયટી પાસેના બિરજુ ફ્લેટમાં પાણીની ટાંકી તૂટી હતી. જેના કારણે ફલેટનો સ્લેબ ધરાશાયી થયો હતો. આ ઘટનામાં ફ્લેટમાં રહેતા 10થી 15 લોકો ફસાઈ જતાં આસપાસના લોકો ભેગા થઈ ગયા હતાં. નવરંગપુરા ફાયર સ્ટેશનની રેસ્ક્યુ ટીમ અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી એક વૃદ્ધા સહિત 8થી વધુ લોકોને સીડી વડે રેસ્ક્યુ કર્યા હતાં.
What's Your Reaction?






