Ahmedabad: કૃષ્ણનગરમાં વૃદ્ધ, કાંકરિયામાં યુવક, જમાલપુરમાં આધેડનું મોત

Aug 18, 2025 - 02:00
Ahmedabad: કૃષ્ણનગરમાં વૃદ્ધ, કાંકરિયામાં યુવક, જમાલપુરમાં આધેડનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શહેરના પૂર્વ વિસ્તારમાં ત્રણ અકસ્માતમાં ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા છે.

જેમાં કૃષ્ણનગરમાં વૃધ્ધને બીઆરટીએસ બસચાલકે અડફેટે લેતા મોત નિપજ્યુ હતુ. ત્યારે કાંકરિયામાં યુવકને બોલેરો કારચાલકે અડફેટે લેતા મોત થયુ હતુ. અને જમાલપુરમાં આઘેડના પગ પર બોલેરોચાલકે ચઢાવી દેતા સારવાર દરમ્યાન મોત થયુ છે.

કૃષ્ણનગરમાં 79 વર્ષીય નરેન્દ્રસિંઘ બન્ના ગત 16 ઓગસ્ટે ગાર્ડનમાં અને ગુરૂદ્વારામાં જતા હતા ત્યારે સમયે પુરઝડપે આવી રહેલ બીઆરટીએસ બસચાલકે નરેન્દ્રસિંઘને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ. આ અંગે નરેન્દ્રસિંઘના પુત્રે બીઆરટીએસ ચાલક સામે જી ડિવિઝન ટ્રાફ્કિ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે.

કાંકરિયા પાસે ભરતભાઇ ચુનારા ગત 15 ઓગસ્ટે રાત્રીના સમયે કાંકરિયા ગેટ-7 પાસેથી રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે પુરઝડપે આવી રહેલ બોલેરો કારચાલકે ભરતને અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યા સારવાર દરમિયાન મોત થયું હતું. અકસ્માત બાદ બોલેરો કારચાલક ગાડી મૂકીને ભાગી ગયો હતો. આ અંગે મૃતકની બહેને બોલેરો કારચાલક સામે જે ડિવિઝન ટ્રાફ્કિ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે.

જમાલપુરમાં ફ્ૂટપાથ પર રહેતા 50 વર્ષીય સુરેશ બડૌદીયા ગત 12 ઓગસ્ટે તે જમાલપુર બ્રિજ નીચે સૂઇ રહ્યો હતો ત્યારે પુરઝડપે આવી રહેલ બોલેરો ગાડીચાલકે સુરેશભાઇના પગ પર ગાડી ચઢાવી દેતા તેમને ગંભીર ઇજાઓ પહોચી હતી. બાદમાં બોલેરોચાલક ત્યાંથી નાસી ગયો હતો. ત્યારે ઇજાગ્રસ્ત સુરેશભાઇને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યુ હતુ. આ અંગે ઇ ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે બોલેરો કારચાલક સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0