Ahmedabad: આસારામના પુત્ર નારાયણ સાંઈને હાઈકોર્ટે પાંચ દિવસના હંગામી જામીન આપ્યા

Jun 20, 2025 - 22:00
Ahmedabad: આસારામના પુત્ર નારાયણ સાંઈને હાઈકોર્ટે પાંચ દિવસના હંગામી જામીન આપ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં 2019માં સુરતની સેશન્સ કોર્ટે આસારામના પુત્ર નારાયણ સાંઈને દુષ્કર્મના કેસમાં દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી. તેણે રાજસ્થાનની જેલમાં રહેલા આસારામને મળવા માટે ગુજરાત હાઈકોર્ટમાં હંગામી જામીન માટે અરજી કરી હતી. આ અરજીની સુનાવણીમાં કોર્ટે નારાયણ સાંઈને પાંચ દિવસના હંગામી જામીન આપ્યા હતાં. આ અરજી પર સુનાવણી કરતાં કોર્ટે નારાયણ સાંઈને પોલીસ એસ્કોર્ટ સાથે 05 દિવસના હંગામી જામીન આપ્યા હતાં. હવે કોર્ટનો ઓર્ડર મળ્યા બાદ તેના પાંચ દિવસના જામીન શરૂ થશે.

નારાયણ સાંઈએ સાત દિવસના જામીન માંગ્યા હતાં

દુષ્કર્મના આરોપી નારાયણ સાંઈને તેના પિતા આસારામને મળવા માટે જામીન આપવામાં આવ્યા છે.આસારામને હ્રદય અને ઉંમર સબંધી તકલીફો છે. તેને અગાઉ AIMSમાં દાખલ કરવામાં આવ્યા હતાં. નારાયણ સાંઈએ જામીન અરજીમાં રજૂઆત કરી હતી કે, તેના પિતાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને તેઓ જોધપુર પહોંચવાના છે. જેથી તેમને મળવા માટે સાત દિવસના જામીન માંગ્યા હતાં. જેથી કોર્ટે તેની અરજીની સુનાવણીમાં પોલીસ એસ્કોર્ટ સાથે પાંચ દિવસના જામીન ફાળવ્યા હતાં. હાઈકોર્ટે અરજીનો ચુકાદો આપતા કહ્યું હતું કે,નારાયણ સાંઈ તેના પિતાને મળે તે મહત્વનું છે.

કોર્ટનો ઓર્ડર મળ્યા બાદ જામીન શરૂ થશે

નારાયણ સાંઈને કોર્ટનો ઓર્ડર મળ્યા બાદ જામીન શરૂ થશે. તેની સાથેના પોલીસ એસ્કોર્ટમાં 01 PSI અને 04 કોન્સ્ટેબલ હશે. તેને સુરતથી બાય રોડ રાજસ્થાન લઈ જવામાં આવશે. આ સુનાવણીમાં સરકારી વકીલે નારાયણ સાંઈને છોડવાથી ઉભી થનારી પરિસ્થિતિ અંગે કોર્ટને જાણ કરી હતી. કોર્ટે પાંચ દિવસના જામીન આપ્યા હતાં. જેમાં બે દિવસ ટ્રાવેલિંગ અને ત્રણ દિવસ તે તેના પિતાને મળી શકશે. દુષ્કર્મ કેસમાં આસારામ પણ 30 જૂન સુધી જામીન પર છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0