Ahmedabad: અમદાવાદ આવતી-જતી 8 ફ્લાઇટો રદ રહેતા મુસાફરો અટવાયા

Feb 2, 2025 - 05:30
Ahmedabad: અમદાવાદ આવતી-જતી 8 ફ્લાઇટો રદ રહેતા મુસાફરો અટવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ એરપોર્ટ પર આવતી-જતી મુંબઇ, જયપુર, કેશોદ અને જલગાંવની મળીને કુલ 8 ફ્લાઇટો શનિવારે રદ રહેતા મુસાફરો હાલાકીમાં મૂકાયા હતા.

જ્યારે 22 જેટલી ફ્લાઇટો બે કલાક સુધી મોડી પડી હતી. ધુમ્મસ અને ટેકનીકલ કારણોસર અમદાવાદ આવતી એલાયન્સ એરની મુંબઇની સવારે 9:40 કલાકની ફ્લાઇટ રદ રહી હતી. આ ઉપરાંત બપોરે ત્રણ વાગ્યાની જયપુરની ઇન્ડિગોની, સાંજે 5:10ની એલાયન્સ એરની કેશોદની અને રાત્રે 8:45 કલાકની એલાયન્સ એરની જલગાંવની ફ્લાઇટ રદ રહી હતી. અમદાવાદથી ઉપડતી આજ ફ્લાઇટો પણ સામે રદ રહેતા આ ડેસ્ટિનેશન જવા માંગતા મુસાફરો બંને તરફ અટવાઇ પડયા હતા.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0