Ahmedabad Rathyatra 2024: ભકતો માટે 40 હજારકિલો ફૂલવડી અને મોહનથાળ કરાયો તૈયાર

અમદાવાદના સરસપુરમાં થશે નાથનું મામેરું સરસપુરમાં શેરીએ શેરીએ ભંડારાનું આયોજન આંબલીવાડની પોળમાં ભંડારાનું અયોજન રથયાત્રાનુ ધામધૂમથી આયોજન થયું છે,ત્યારે ભકતોને સમયસર પ્રસાદ મળે તે માટે અમદાવાદના સરસપુર ખાતે અલગ-અલગ પોળોમાં ભકતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે,સરસપુરની આંબલીવાડની પોળમાં છેલ્લા લાંબા સમયથી ભકતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે, અંદાજે 2.5 લાખ ભાવિક ભકતો લેશે ભોજન પ્રસાદ 30 હજાર કિલો મોહનથાળ તૈયાર કરાયો 40 હજાર કિલો ફૂલવાડી તૈયાર કરાઈ 50 હજાર કિલો પૂરી તૈયાર કરાઈ 15 હજાર કિલો બટેકાનું શાક તૈયાર કરાયું 5 હાજર કિલો ખીચડી તૈયાર કરાઈ 5 હજાર લિટર કઢી તૈયાર કરાઈ સૌ પ્રથમ ભરૂચમાં રથયાત્રા નિકળી સામાન્ય રીતે વર્ષ દરમિયાન ભક્તો મંદિરે જઈને તેમના આરાધ્યની પૂજા-અર્ચના કરતા હોય છે, પરંતુ રથયાત્રાના દિવસે ખુદ ભગવાન પોતે નગરચર્યા કરવા નિકળે છે અને ભક્તોને દર્શન આપે છે, એવી માન્યતા છે. લગભગ અઢીસો વર્ષ પહેલાં ગુજરાતમાં પહેલી રથયાત્રા કાઢવામાં આવી હતી. સૌ પહેલાં ભરૂચના ભોઈ સમાજે રથયાત્રા કાઢી હતી અને આ પરંપરા આજે પણ જળવાઈ રહી છે. અમદાવાદમાં વર્ષ 1878માં નિકળી રથયાત્રા અમદાવાદના જગન્નાથ મંદિરની સત્તાવાર શરૂઆત વર્ષ 1878માં તત્કાલીન મહંત નરસિંહદાસજી મહારાજ દ્વારા રથયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી પ્રારંભિક વર્ષો દરમિયાન બળદગાડાંમાં રથયાત્રા કાઢવામાં આવતી. આના માટે ભરૂચના ખલાસીઓએ અમદાવાદની રથયાત્રા માટે રથ બનાવી આપ્યા હતા. જેનું નિર્માણ નાળિયેરના ઝાડના થડમાંથી કરવામાં આવ્યું હતું. નાળિયેરનું થડ પ્રમાણમાં હળવું હોવા છતાં રથનું વજન 300 કિલો જેટલું હોવાનું કહેવાય છે. નો પાર્કિંગ ઝોન જાહેર કરાયેલ રસ્તાઓ અને વિસ્તાર જમાલપુર દરવાજા બહાર જગન્નાથ મંદિરથી જમાલપુર ચકલા, વૈશ્યસભા, ખમાસા, ગોળલીમડા, ઓસ્ટોડીયા ચકલા, (બી.આર.ટી.એસ.રૂટ સહીત) મદનગોપાલની હવેલી, રાયપુર ચકલા, ખાડીયા જુની ગેટ, ખાડીયા ચાર રસ્તા,પાંચકુવા, કાલુપુર સર્કલ, કાલુપુર ઓવરબ્રિજ, સરસપુર, પ્રેમદરવાજા, જોર્ડનરોડ, બેચર લશ્કરની હવેલી, દિલ્હી ચકલા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, ઔત્તમ પોળ, આર.સી.હાઇસ્કુલ, દીલ્હી ચકલા, ઘી કાંટા રોડ, પાનકોર નાંકા, ફુવારા, ચાંદલા ઓળ, સાંકડી શેરીના નાકે થઇ માણેકચોક શાક માર્કેટ, દાણાપીઠ, ખમાસા થઇ જગન્નાથ મંદિર સુધીનો વિસ્તાર નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. રથયાત્રા પૂર્ણ ના થાય ત્યા સુધી આ જાહેરનામુ અમલમાં રહેશે આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ-33ની જોગવાઇ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તા. 6 જુલાઇ 2024ના રોજ રાતના 12 વાગ્યાથી થી તા. 7 જુલાઇ 2024ના રોજ નીકળનાર રથયાત્રા પુર્ણ ન થાય ત્યાં સુધી કરવાનો રહેશે.

Ahmedabad Rathyatra 2024: ભકતો માટે 40 હજારકિલો ફૂલવડી અને મોહનથાળ કરાયો તૈયાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદના સરસપુરમાં થશે નાથનું મામેરું
  • સરસપુરમાં શેરીએ શેરીએ ભંડારાનું આયોજન
  • આંબલીવાડની પોળમાં ભંડારાનું અયોજન

રથયાત્રાનુ ધામધૂમથી આયોજન થયું છે,ત્યારે ભકતોને સમયસર પ્રસાદ મળે તે માટે અમદાવાદના સરસપુર ખાતે અલગ-અલગ પોળોમાં ભકતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે,સરસપુરની આંબલીવાડની પોળમાં છેલ્લા લાંબા સમયથી ભકતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે,

અંદાજે 2.5 લાખ ભાવિક ભકતો લેશે ભોજન પ્રસાદ

30 હજાર કિલો મોહનથાળ તૈયાર કરાયો

40 હજાર કિલો ફૂલવાડી તૈયાર કરાઈ

50 હજાર કિલો પૂરી તૈયાર કરાઈ

15 હજાર કિલો બટેકાનું શાક તૈયાર કરાયું

5 હાજર કિલો ખીચડી તૈયાર કરાઈ

5 હજાર લિટર કઢી તૈયાર કરાઈ


સૌ પ્રથમ ભરૂચમાં રથયાત્રા નિકળી

સામાન્ય રીતે વર્ષ દરમિયાન ભક્તો મંદિરે જઈને તેમના આરાધ્યની પૂજા-અર્ચના કરતા હોય છે, પરંતુ રથયાત્રાના દિવસે ખુદ ભગવાન પોતે નગરચર્યા કરવા નિકળે છે અને ભક્તોને દર્શન આપે છે, એવી માન્યતા છે. લગભગ અઢીસો વર્ષ પહેલાં ગુજરાતમાં પહેલી રથયાત્રા કાઢવામાં આવી હતી. સૌ પહેલાં ભરૂચના ભોઈ સમાજે રથયાત્રા કાઢી હતી અને આ પરંપરા આજે પણ જળવાઈ રહી છે.

અમદાવાદમાં વર્ષ 1878માં નિકળી રથયાત્રા

અમદાવાદના જગન્નાથ મંદિરની સત્તાવાર શરૂઆત વર્ષ 1878માં તત્કાલીન મહંત નરસિંહદાસજી મહારાજ દ્વારા રથયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી પ્રારંભિક વર્ષો દરમિયાન બળદગાડાંમાં રથયાત્રા કાઢવામાં આવતી. આના માટે ભરૂચના ખલાસીઓએ અમદાવાદની રથયાત્રા માટે રથ બનાવી આપ્યા હતા. જેનું નિર્માણ નાળિયેરના ઝાડના થડમાંથી કરવામાં આવ્યું હતું. નાળિયેરનું થડ પ્રમાણમાં હળવું હોવા છતાં રથનું વજન 300 કિલો જેટલું હોવાનું કહેવાય છે.

નો પાર્કિંગ ઝોન જાહેર કરાયેલ રસ્તાઓ અને વિસ્તાર

જમાલપુર દરવાજા બહાર જગન્નાથ મંદિરથી જમાલપુર ચકલા, વૈશ્યસભા, ખમાસા, ગોળલીમડા, ઓસ્ટોડીયા ચકલા, (બી.આર.ટી.એસ.રૂટ સહીત) મદનગોપાલની હવેલી, રાયપુર ચકલા, ખાડીયા જુની ગેટ, ખાડીયા ચાર રસ્તા,પાંચકુવા, કાલુપુર સર્કલ, કાલુપુર ઓવરબ્રિજ, સરસપુર, પ્રેમદરવાજા, જોર્ડનરોડ, બેચર લશ્કરની હવેલી, દિલ્હી ચકલા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, ઔત્તમ પોળ, આર.સી.હાઇસ્કુલ, દીલ્હી ચકલા, ઘી કાંટા રોડ, પાનકોર નાંકા, ફુવારા, ચાંદલા ઓળ, સાંકડી શેરીના નાકે થઇ માણેકચોક શાક માર્કેટ, દાણાપીઠ, ખમાસા થઇ જગન્નાથ મંદિર સુધીનો વિસ્તાર નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.


રથયાત્રા પૂર્ણ ના થાય ત્યા સુધી આ જાહેરનામુ અમલમાં રહેશે

આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ-33ની જોગવાઇ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તા. 6 જુલાઇ 2024ના રોજ રાતના 12 વાગ્યાથી થી તા. 7 જુલાઇ 2024ના રોજ નીકળનાર રથયાત્રા પુર્ણ ન થાય ત્યાં સુધી કરવાનો રહેશે.