Ahmedabad Plane Crash: સુરક્ષા એજન્સીઓએ પ્લેન દુર્ઘટનાની વિવિધ એંગલથી કરી તપાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં થયેલી પ્લેન દુર્ઘટનામાં ડીએનએ મેચ કરવાની પ્રક્રિયા શરુ છે. જેમાં 30થી વધુ મૃતદેહોના ડીએનએ મેચ થઇ ગયા છે. અને 21 જેટલા મૃતદેહો તેમના પરિવારને સોંપવામાં આવ્યા છે. આ પરિવારના માળા પ્લેન ક્રેશમાં વિખેરાઇ ગયા છે. એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ બાદ વિવિધ થીયરીઓ સામે આવી રહી છે. પ્લેન ક્રેશ માટે વિવિધ નિવેદનો જોવા મળ્યા છે. ત્યારે આ પ્લેન ક્રેશ કેવી રીતે થયો તેમ માટે સુરક્ષા એજન્સીઓએ દુર્ઘટનાસ્થળે તપાસ કરી છે.
દુર્ઘટના માટે ક્યા કારણો જવાબદાર ?
પ્લેન દુઘટનાની અલગ અલગ એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓએ દુર્ઘટનાસ્થળે જઇને તપાસ હાથ ધરી હતી. અને પુરાવા એક્ત્ર કરવા માટે તજવીજ હાથ ધરી છે. દુર્ઘટના સ્થળેથી કોઇ વાંધાજનક સામ્રગી ન મળી હોવાની માહિતી સામે આવી હતી. પ્રાથમિક તપાસમાં વિસ્ફોટક અંગે કોઇ પુરાવા મળ્યા ન હોવાનુ જાણવા મળ્યુ છે. IED અંગેના કોઇ પુરાવા પણ પ્રાપ્ત થયા નથી. તો આ તરફ, બર્ડ હીટ તેમજ ઓવરલોડીંગના પણ કોઈ પુરાવા હાથ લાગ્યા નથી.
અમદાવાદમાં પ્લેન ક્રેશ
અમદાવાદમાં પ્લેન ક્રેશ થતા દરેક સ્થળે શોકનો માહોલ છે. આ પ્લેન ક્રેશમાં યાત્રીઓ સાથે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. હાલ મૃતદેહો સોંપવાની કામગીરી ચાલુ છે. જ્યારે આ પ્લેન ક્રેશ થયુ ત્યારે તેના વિશે વિવિધ કારણો સામે આવી રહ્યા હતા. આ તમામ કારણોને જાણવા માટે સુરક્ષા એજન્સીઓએ વિવિધ રીતે તપાસ શરુ કરી હતી. અને સત્ય શું હતુ તે જાણવા પ્રયત્ન શરુ કર્યા હતા.
What's Your Reaction?






