Ahmedabad Plane Crash: પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પુત્ર ઋષભ રૂપાણી સાથે છેલ્લા વીડિયો કોલમાં શું વાત કરી જાણો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાને એક મહિના જેટલો સમય થઈ ગયો છે. આ ઘટનાએ ક્યારે પણ ન ભરાય તેવા લોકોને જખમ આપ્યા છે. અમદાવાદ પ્લેન ક્રેશ થતા 260 લોકોના મોત થયા હતા. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પરિવાર આઘાતમાંથી ધીરે ધીરે બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
પુત્રએ ઋષભે કહ્યું કે અમે રોજ વીડિયો કોલમાં વાત કરતા
આ ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્રએ ઋષભે કહ્યું કે અમે રોજ વીડિયો કોલમાં વાત કરતા હતા. એ ફ્લાઈટમાં બેઠા ત્યારે પણ મને તેમનો કોલ આવ્યો હતો. એ બહું ખુશ હતા. તેને મારી દીકરી સાથે પણ વાત કરી હતી. એ તેમની પ્રિય હતી. તે દાદાનો કોલ આવે એટલે બધુ પડતું મુકીને વાત કરવા લાગી જતી હતી.
એમના ચહેરા પર દીકરીને મળવાનો ભાવ દેખાઈ રહ્યો હતો
તેઓ બહું ખુશ હતા. કે દીકરીના ઘરે બે ત્રણ વર્ષ પછી જઈ રહ્યા હતા. બહેનના ત્યાં માતાજીના પ્રતીષ્ઠાન કરવાના હતા. તો બધુ સામાન પેક કરી એમના ચહેરા પર દીકરીને મળવાનો ભાવ દેખાઈ રહ્યો હતો, પ્લેનમાં ક્રૂ મેમ્બર સહિત કુલ 242 લોકો સવાર હતા અને દુર્ઘટનામાં વિશ્વાસ નામના વ્યક્તિનો બચાવ થયો હતો, દુર્ઘટનાના એક મહિના બાદ તપાસ કમિટીનો રિપોર્ટ સામે આવ્યો છે જેમાં દુર્ઘટના થઈ તે સમયે બંને એન્જિન બંધ થઈ ગયા હતા અને આ ઘટના બની હોવાનો પ્રારંભિક રિપોર્ટ સામે આવ્યો છે.
What's Your Reaction?






