Ahmedabad News: રિવરફ્રન્ટ પર સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ, સુભાષબ્રિજથી વ્હાઇટ સિગ્નલ એલર્ટ જાહેર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીને કારણે ધરોઈ ડેમમાં જબરદસ્ત પાણીની આવક થઈ છે. જેના કારણે ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. સાબરમતી નદીમાં ધરોઈ ડેમનું પાણી છોડવામાં આવ્યું છે. આ ઉપરાંત ગાંધીનગરના સંત સરોવર ડેમમાંથી પાણ સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. અમદાવાદના રિવરફ્રન્ટ પર સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. પાણીનું લેવલ વધતાં વોક વે પર પાણી ફરી વળ્યાં છે.
સુભાષબ્રિજથી વ્હાઇટ સિગ્નલ એલર્ટ જાહેર કરાયું છે
અમદાવાદના રિવરફ્રન્ટના વોક વે પર સાબરમતી નદીના પાણી ફરી વળ્યાં છે. રિવરફ્રન્ટનો લોઅર પિરામિડ પાણીમાં ગરકાવ થયો છે.રિવરફ્રન્ટ વોક વે સહેલાણીઓ માટે બંધ કરાયો છે. જ્યારે સુભાષબ્રિજ ખાતે વાઈટ સિગ્નલ લગાવાયું છે. અમદાવાદના વાસણા બેરેજમાંથી 96 હજાર ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે. વાસણા બેરેજના 27 દરવાજા 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યાં છે. પાણી છોડતા સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. સુભાષબ્રિજથી વ્હાઇટ સિગ્નલ એલર્ટ જાહેર કરાયું છે.
ધરોઈ ડેમની સપાટી 617.28 ફૂટ પર છે
આજે ધરોઈ ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થયો છે. પરંતુ ડેમની સપાટી જાળવી રાખવા માટે ડેમના ત્રણ ગેટ 10 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ધરોઈ ડેમમાં 42681 ક્યુસેક પાણીની આવક થવા પામી છે.38976 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડાયું છે. હાલમાં ધરોઈ ડેમની સપાટી 617.28 ફૂટ પર છે. ધરોઈ ડેમમાં પાણીનો જથ્થો 82.27 ટકા છે. સાબરમતી નદી વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
What's Your Reaction?






