Ahmedabad News: ફિલ્મફેર એવોર્ડને કારણે આવતીકાલે શહેરમાં આ રસ્તા બંધ રહેશે, જાણો વૈકલ્પિક માર્ગ

Oct 10, 2025 - 21:30
Ahmedabad News: ફિલ્મફેર એવોર્ડને કારણે આવતીકાલે શહેરમાં આ રસ્તા બંધ રહેશે, જાણો વૈકલ્પિક માર્ગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં આવતીકાલે ફિલ્મ ફેર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ફેરને લઈને AMTSની બસના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે. શહેરના 28 રૂટ પરની 183 બસો માટે વૈકલ્પિક માર્ગ નક્કી કરવામાં આવ્યો છે.આવતીકાલે બપોરે 12 વાગ્યાથી વૈકલ્પિક માર્ગ પર બસો ચાલશે. આ ઉપરાંત તંત્ર દ્વારા સહેલાણીઓ માટે કાંકરિયા પણ બંધ કરવામાં આવ્યું છે.

11 ઓક્ટોબરે બપોરે ત્રણથી રાત્રે બે વાગ્યા સુધી પ્રતિબંધ અમલી

અમદાવાદમાં ફિલ્મફેર એવોર્ડના આયોજનને લઈને અમદાવાદની લાઈફ લાઈન ગણાતી એએમટીએસ બસના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે. શહેરમાં 28 રૂટ પર 183 બસો વૈકલ્પિક માર્ગ પર દોડશે. બપોરે 12 વાગ્યાથી બસો વૈકલ્પિક માર્ગ પર દોડશે. પ્રતિબંધિત માર્ગ પર વાહનો માટે નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આવતીકાલે 11 ઓક્ટોબરે બપોરે ત્રણથી રાત્રે બે વાગ્યા સુધી પ્રતિબંધ અમલી રહેશે.

આ રસ્તા બંધ રહેશે

શહેરમાં રાયપુર ચાર રસ્તાથી પારસી અગિયારી રોડ, વાણિજ્ય ભવનથી પારસી અગિયારી જવાનો માર્ગ, કાંકરિયા ગેટ નં. 3થી ફૂટબોલ ગ્રાઉન્ડ જવાનો માર્ગ બંધ રહેશે, જ્યારે વાણિજ્ય ભવનથી મણીનગર અને ખોખરાનો રસ્તો ચાલુ રહેશે. વાણિજ્ય ભવનથી ન્યૂ ક્લોથ માર્કેટ થઈ રાયપુર જઈ શકાશે. પારસી અગિયારીથી ફૂટબોલ ગ્રાઉન્ડનો રસ્તો ચાલુ રહેશે. આ ઉપરાંત અપ્સરા સિનેમાથી ઝીરાફ સર્કલ જઈ શકાશે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0