Ahmedabad News: કમોસમી વરસાદને પગલે જિલ્લા ખેતીવાડી અધિકારીએ બોલાવી બેઠક

કમોસમી વરસાદને પગલે જગતના તાતમાં ફેલાઈ ચિંતાખેતીવાડી અધિકારીની વિસ્તરણ અધિકારીઓ સાથે બેઠક નુકસાનીનો સર્વે કરવા માટે કર્મચારીઓને અપાઈ સૂચના અમદાવાદ જિલ્લા સહિત રાજ્યમાં થયેલ કમોસમી વરસાદ અને આગામી સમયમાં માવઠાની આગાહીને લઈને જ્યાં એક તકરફ ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે તો બીજી તરફ કમોસમી વરસાદને લઈને અમદાવાદ જિલ્લા ખેતીવાડી અધિકારી પણ એક્શનમાં આવી ગયા છે. રાજ્યમાં થયેલ કમોસમી વરસાદનાં પગલે અમદાવાદ જિલ્લા ખેતીવાડી અધિકારીએ જિલ્લા વિસ્તરણ અધિકારીઓ સહિતના કર્મચારીઓની બેઠક બોલાવી હતી. બેઠકમાં કમોસમી વરસાદને લઈને થયેલ અથવા થનાર પાક નુકસાનીને લઈને સમીક્ષા કરવામાં આવી હતી. ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે અમદાવાદ જિલ્લામાં હાલમાં માત્ર ડાંગરનો જ પાક હતો અને મોટાભાગના પાકની કાપણી થઈ ચૂકી હતી. જેથી 95 ટકા પાકને નુકશાન ન થયું હોવાનું તેમને જણાવ્યું છે. જોકે, તેમણે વધુમાં જણાવ્યું હતું કે હજુ પણ આગામી સમયમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે, સર્વેની કામગીરી માટે સૂચનાઓ આપવામાં આવી છે. તો સાથે સાથે, કપાયેલા પાકને વરસાદને કારણે નુકસાન ન થાય તે માટે તેને યોગ્ય જગ્યા પર રાખવા ખેડૂતને અપીલ કરવામાં આવી છે.

Ahmedabad News: કમોસમી વરસાદને પગલે જિલ્લા ખેતીવાડી અધિકારીએ બોલાવી બેઠક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કમોસમી વરસાદને પગલે જગતના તાતમાં ફેલાઈ ચિંતા
  • ખેતીવાડી અધિકારીની વિસ્તરણ અધિકારીઓ સાથે બેઠક
  • નુકસાનીનો સર્વે કરવા માટે કર્મચારીઓને અપાઈ સૂચના

અમદાવાદ જિલ્લા સહિત રાજ્યમાં થયેલ કમોસમી વરસાદ અને આગામી સમયમાં માવઠાની આગાહીને લઈને જ્યાં એક તકરફ ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે તો બીજી તરફ કમોસમી વરસાદને લઈને અમદાવાદ જિલ્લા ખેતીવાડી અધિકારી પણ એક્શનમાં આવી ગયા છે.


રાજ્યમાં થયેલ કમોસમી વરસાદનાં પગલે અમદાવાદ જિલ્લા ખેતીવાડી અધિકારીએ જિલ્લા વિસ્તરણ અધિકારીઓ સહિતના કર્મચારીઓની બેઠક બોલાવી હતી. બેઠકમાં કમોસમી વરસાદને લઈને થયેલ અથવા થનાર પાક નુકસાનીને લઈને સમીક્ષા કરવામાં આવી હતી. ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે અમદાવાદ જિલ્લામાં હાલમાં માત્ર ડાંગરનો જ પાક હતો અને મોટાભાગના પાકની કાપણી થઈ ચૂકી હતી. જેથી 95 ટકા પાકને નુકશાન ન થયું હોવાનું તેમને જણાવ્યું છે.

જોકે, તેમણે વધુમાં જણાવ્યું હતું કે હજુ પણ આગામી સમયમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે, સર્વેની કામગીરી માટે સૂચનાઓ આપવામાં આવી છે. તો સાથે સાથે, કપાયેલા પાકને વરસાદને કારણે નુકસાન ન થાય તે માટે તેને યોગ્ય જગ્યા પર રાખવા ખેડૂતને અપીલ કરવામાં આવી છે.