Ahmedabad News: ભરૂચમા 37 પરિવારના 100 લોકોના ધર્માંતરણ મુદ્દે નોંધાયેલી ફરિયાદ રદ કરવા હાઈકોર્ટનો ઈનકાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભરૂચમાં ધર્માંતરણ મુદ્દે નોંધાયેલી ફરિયાદના કેસમાં નવ આરોપીઓ સામે ફરિયાદ રદ કરવા હાઈકોર્ટે ઈનકાર કર્યો છે. 37 પરિવારના 100 લોકોના ધર્માંતરણ મુદ્દે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે. આરોપીઓએ ફરિયાદ રદ કરવા હાઈકોર્ટમાં અરજી કરી હતી.
લાલચો આપીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવ્યો હતો
પ્રાપ્ત વિગતો પ્રમાણે ભરૂચમાં ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે, 2018માં તેનું ઈસ્લામ ધર્મમાં ધર્માતરણ કરાવાયું હતું. તેને સુરતમાં લઈ જઈને અંગૂઠાની એક છાપ આપવા કહ્યું હતું. જે કાગળ પર તેની છાપ લેવામાં આવી હતી તે કાગળ પર પહેલાથી લખાણ ટાઈપ કરેલું હતું. તેનું આધાર કાર્ડ પણ નવું બનાવાયું હતું. તેણે કરેલી ફરિયાદમાં એવા આક્ષેપ કર્યા હતાં કે, આરોપીએ ધર્માંતરણ માટે ત્રણ લોકો પાસેથી નાણાંકિય સહાય મેળવી હતી. એક સાથે 37 પરિવારોના 100 લોકોને રૂપિયા સહિતની લાલચો આપીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવ્યો હતો.
હાઇકોર્ટમાં ફરિયાદ રદ કરવા માટે અરજી દાખલ કરી હતી
આ કેસમાં આરોપીઓએ ગુજરાત હાઇકોર્ટમાં ફરિયાદ રદ કરવા માટે અરજી દાખલ કરી હતી. આ ફરિયાદને રદ કરવા હાઈકોર્ટે ઈનકાર કર્યો છે. કોર્ટે અવલોકન કર્યું હતું કે, જે લોકોનું ધર્મ પરિવર્તન થયું છે તે લોકો અન્ય લોકોનું પણ ધર્મ પરિવર્તન કરાવે તો તેમની સામે પણ ફરિયાદ દાખલ થઈ શકે છે. અરજી દાખલ કરનાર આરોપીઓએ દાવો કર્યો હતો કે, તેઓ હિન્દુ હતાં અને અન્ય આરોપીઓ દ્વારા તેમને મુસ્લિમ બનાવી દેવાયા હતાં. કોર્ટે ફરિયાદની નોંધ લેતા કહ્યું હતું કે, 37 પરિવારોના 100 જેટલા લોકોને મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવવાનું કૃત્ય પ્રથમ દ્રષ્ટિએ ગુનો બને છે.
What's Your Reaction?






