Ahmedabad: CTMમાં ગઠિયાઓએ અકસ્માતના બહાને કાર ચાલકને રોક્યો, 15 લાખ લઈ ફરાર

Jun 20, 2025 - 22:00
Ahmedabad: CTMમાં ગઠિયાઓએ અકસ્માતના બહાને કાર ચાલકને રોક્યો, 15 લાખ લઈ ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં ચોરી અને લૂંટની ઘટનાઓ સતત વધી રહી છે. એક તરફ પોલીસ શહેરમાં રથયાત્રા સંદર્ભે ચાંપતી નજર રાખી રહી છે. બીજી બાજુ લૂંટ કરતી ગેંગ પણ પોલીસને ચકમો આપીને ગુનાને અંજામ આપી રહી છે. રથયાત્રા પહેલા જ શહેરમાં 15 લાખની લૂંટની ઘટના સામે આવી છે. શહેરના સીટીએમ વિસ્તારમાં અકસ્માતના બહાને કાર ચાલકને રોકીને બે લૂંટારાઓ 15 લાખ લૂંટીને ફરાર થઈ ગયા હતાં.

બે બાઈક ચાલકો 15 લાખ લૂંટીને ફરાર થઈ ગયા

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના સીટીએમ વિસ્તારમાં લૂંટની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. સીટીએમ વિસ્તારમાં વન્ડર પોઈન્ટ પાસે આંગડિયા પેઢીના કર્મચારીઓ કારમાં 15 લાખ લઈને જઈ રહ્યા હતાં. આ દરમિયાન બે બાઈક ચાલકો આવ્યા હતાં અને તેમણે અકસ્માતના બહાને ગાડી ઉભી રખાવી હતી. ગાડીમા બેઠેલા વ્યક્તિને વાતોમાં ભરાવીને બે બાઈક ચાલકો 15 લાખ લૂંટીને ફરાર થઈ ગયા હતાં.

પોલીસે આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા

લૂંટની ઘટના અંગે આંગડિયા પેઢીના માણસોએ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. થોડા દિવસ પહેલાં ગાંધીનગરમાં પણ એક કારમાંથી લાખો રૂપિયાની લૂંટ થઈ હતી. પોલીસે આ ઘટનામાં આરોપીઓને પકડી પાડ્યા હતાં. હવે રામોલ પોલીસે 15 લાખની લૂંટની ઘટનામાં આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0