Ahmedabad AMCએ કરોડોના ખર્ચે બ્રિજ બનાવ્યા પણ જાળી લગાવવાનું ભૂલી ગયા ?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરોડો રૂપિયાનો ખર્ચો બ્રિજ બનાવવા પાછળ કરી રહ્યું છે પરંતુ એ બાદ બ્રિજ પર જાળી નહી લગાવવાના કારણે 10 વર્ષમાં 9 લોકોએ બ્રિજ પરથી કૂદી આપઘાત કર્યો છે.તેમ છતાં AMCના પેટનું પાણી હલતું નથી.નદી પર રહેલા બ્રિજ પર જાળી લગાવવાના કારણે બ્રિજ પરથી કૂદી આપઘાતના બનાવ હવે નહીવત બની ગયા છે પરંતુ તંત્ર શહેરના અન્ય બ્રિજ પર જાળી લગાવતું નથી. 10 વર્ષમાં આશરે 440 કરોડના બ્રિજ બનાવ્યા અમદાવાદ શહેરમાં પહેલા આપઘાત પહેલા હોટ સ્પોટ હતું કાંકરિયા તળાવ તેનો વિકાસ થયો અને લોકોએ હોટ સ્પોટ બદલ્યું અને લોકો સાબરમતી નદી પરથી કુદી જીવ ગુમાવી દેતા હતા અને હવે ત્યાં જાળી લગાવી દેવાના કારણે શહેરના અન્ય બ્રીજથી પરથી કુદી પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે.જીહા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના કારણે લોકો બ્રિજ પર્થ કૂદી પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે.છેલ્લા 10 વર્ષની વાત કરીએ તો AMC દ્વારા શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં 440 કરોડના ખર્ચે 8 બ્રિજ બનાવ્યા પરંતુ તે બ્રિજ પર જાળી લગાવવામાં આળસ કરી અને છેલ્લા 10 વર્ષમાં આ બ્રિજો પરથી લોકોએ કૂદીને આપઘાત કર્યો,એક બ્રિજ પર જાળી લગાવવાનો ખર્ચ આશરે 5 થી 10 લાખ થાય છે પરંતુ કરોડોનો ખર્ચે બ્રિજ બનાવ્યા બાદ શહેરીજનોના હિત મટે તંત્ર પાસે સામાન્ય રકમ નથી. રેસ્ક્યુ ટીમની રચના કરી AMC ફાયર વિભાગ દ્વારા વર્ષ 2014 માં રેસ્ક્યુ ટીમની રચના કરી સાબરમતીમાં લોકો જીવ ગુમાવી રહ્યા હતા તેને બચાવવાની કામગીરી શરુ કરી જયારે નદી પર રહેલા બ્રિજ પર 2018માં જાળીઓ લગાવી આ 4 વર્ષના સમયગાળા દરમિયાન બ્રિજ પરથી કુદી આપઘાતના કંટ્રોલમાં વાર્ષિક 300 થી 350 કોલ આવતા હતા પરંતુ જાળી લગાવ્યા બાદ હવે કોલમ 50 ટકાનો ઘટાડો થયો છે અને બ્રિજ પરથી કુદી શકે તે સ્થિતિમાં ના હોવાના કારણે હવે લોકો બ્રિજ પરથી કુદી આપઘાત કરતા હોવાના વાર્ષિક એકાદ કોલ આવી રહ્યો છે. જાળી લાગે તો લોકોને બચાવી શકાય રેસ્ક્યુ અધિકારી કહી રહ્યા છે કે વાર્ષિક એકાદ કોલ હોય છે બ્રિજની જાળી પર કોઈ ચડે તો રાહદારી કે વાહન ચાલાક તેને તુરંત બચાવી લે છે અને ફાયર વિભાગને જાણ કરી દે છે એટલે તુરંત જ તેને બચાવી લેવામાં આવે છે જેથી બ્રિજ પર જાળી હોવી ખુબ જરૂરી છે.જયારે બ્રિજ પર જાળી નહોતી ત્યારે સૌથી વધારે એલિસબ્રિજ પરથી વાર્ષિક 80 જેટલા તો ચંદ્રનગર બ્રિજ પરથી વર્ષોક 40 જેટલા લોકો કુદીને આપઘાત કરી લેતા હતા.ત્યારે કરોડો રૂપિયા AMC તાયફાઓ પાછળ ખર્ચ કરે છે પરંતુ શહેરમાં બ્રિજ બનાવે છે તેમાં જાળીઓ લગાવવા પાછળ નથી કરતુ જેના કારણે લોકો પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે ત્યારે તંત્ર ખોટા ખર્ચ ઘટાડી યોગ્ય જગ્યાએ ખર્ચ કરે તો ચોક્કસ લોકોને બચાવી શકાય છે.  

Ahmedabad AMCએ કરોડોના ખર્ચે બ્રિજ બનાવ્યા પણ જાળી લગાવવાનું ભૂલી ગયા ?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરોડો રૂપિયાનો ખર્ચો બ્રિજ બનાવવા પાછળ કરી રહ્યું છે પરંતુ એ બાદ બ્રિજ પર જાળી નહી લગાવવાના કારણે 10 વર્ષમાં 9 લોકોએ બ્રિજ પરથી કૂદી આપઘાત કર્યો છે.તેમ છતાં AMCના પેટનું પાણી હલતું નથી.નદી પર રહેલા બ્રિજ પર જાળી લગાવવાના કારણે બ્રિજ પરથી કૂદી આપઘાતના બનાવ હવે નહીવત બની ગયા છે પરંતુ તંત્ર શહેરના અન્ય બ્રિજ પર જાળી લગાવતું નથી.

10 વર્ષમાં આશરે 440 કરોડના બ્રિજ બનાવ્યા

અમદાવાદ શહેરમાં પહેલા આપઘાત પહેલા હોટ સ્પોટ હતું કાંકરિયા તળાવ તેનો વિકાસ થયો અને લોકોએ હોટ સ્પોટ બદલ્યું અને લોકો સાબરમતી નદી પરથી કુદી જીવ ગુમાવી દેતા હતા અને હવે ત્યાં જાળી લગાવી દેવાના કારણે શહેરના અન્ય બ્રીજથી પરથી કુદી પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે.જીહા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના કારણે લોકો બ્રિજ પર્થ કૂદી પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે.છેલ્લા 10 વર્ષની વાત કરીએ તો AMC દ્વારા શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં 440 કરોડના ખર્ચે 8 બ્રિજ બનાવ્યા પરંતુ તે બ્રિજ પર જાળી લગાવવામાં આળસ કરી અને છેલ્લા 10 વર્ષમાં આ બ્રિજો પરથી લોકોએ કૂદીને આપઘાત કર્યો,એક બ્રિજ પર જાળી લગાવવાનો ખર્ચ આશરે 5 થી 10 લાખ થાય છે પરંતુ કરોડોનો ખર્ચે બ્રિજ બનાવ્યા બાદ શહેરીજનોના હિત મટે તંત્ર પાસે સામાન્ય રકમ નથી.


રેસ્ક્યુ ટીમની રચના કરી

AMC ફાયર વિભાગ દ્વારા વર્ષ 2014 માં રેસ્ક્યુ ટીમની રચના કરી સાબરમતીમાં લોકો જીવ ગુમાવી રહ્યા હતા તેને બચાવવાની કામગીરી શરુ કરી જયારે નદી પર રહેલા બ્રિજ પર 2018માં જાળીઓ લગાવી આ 4 વર્ષના સમયગાળા દરમિયાન બ્રિજ પરથી કુદી આપઘાતના કંટ્રોલમાં વાર્ષિક 300 થી 350 કોલ આવતા હતા પરંતુ જાળી લગાવ્યા બાદ હવે કોલમ 50 ટકાનો ઘટાડો થયો છે અને બ્રિજ પરથી કુદી શકે તે સ્થિતિમાં ના હોવાના કારણે હવે લોકો બ્રિજ પરથી કુદી આપઘાત કરતા હોવાના વાર્ષિક એકાદ કોલ આવી રહ્યો છે.

જાળી લાગે તો લોકોને બચાવી શકાય

રેસ્ક્યુ અધિકારી કહી રહ્યા છે કે વાર્ષિક એકાદ કોલ હોય છે બ્રિજની જાળી પર કોઈ ચડે તો રાહદારી કે વાહન ચાલાક તેને તુરંત બચાવી લે છે અને ફાયર વિભાગને જાણ કરી દે છે એટલે તુરંત જ તેને બચાવી લેવામાં આવે છે જેથી બ્રિજ પર જાળી હોવી ખુબ જરૂરી છે.જયારે બ્રિજ પર જાળી નહોતી ત્યારે સૌથી વધારે એલિસબ્રિજ પરથી વાર્ષિક 80 જેટલા તો ચંદ્રનગર બ્રિજ પરથી વર્ષોક 40 જેટલા લોકો કુદીને આપઘાત કરી લેતા હતા.ત્યારે કરોડો રૂપિયા AMC તાયફાઓ પાછળ ખર્ચ કરે છે પરંતુ શહેરમાં બ્રિજ બનાવે છે તેમાં જાળીઓ લગાવવા પાછળ નથી કરતુ જેના કારણે લોકો પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે ત્યારે તંત્ર ખોટા ખર્ચ ઘટાડી યોગ્ય જગ્યાએ ખર્ચ કરે તો ચોક્કસ લોકોને બચાવી શકાય છે.