Ahmedabad: સરેરાશ 1 ઈંચ વરસાદમાં જ પૂર્વમાં જનજીવન ખોરવાયું

Aug 23, 2025 - 02:00
Ahmedabad: સરેરાશ 1 ઈંચ વરસાદમાં જ પૂર્વમાં જનજીવન ખોરવાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પૂર્વના વિવિધ વિસ્તારોમાં સરેરાશ 1 ઈંચ વરસાદ ખાબકતા પાણી ભરાઈ ગયા હતા.

મણિનગર, ખોખરા, વસ્ત્ર્રાલ, અમરાઈવાડી, રબારી કોલોની, નિકોલ, નરોડા જેવા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોની હેરાનગતિમાં વધારો થયો હતો. ઉપરાંત મણિનગરમાં પણ બે ઈંચ વરસાદ પડતાં પાણી ભરાઈ ગયા હતા. હાટકેશ્વરમાં પાણીના નિકાલ માટેના તંત્રના તમામ દાવા પોકળ સાબિત થયા હતા, જ્યારે સીટીએમ અંબિકા રોડ, સરસપુરમાં વોરાના રોજા પાસે પણ સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જતાં લોકોને અવરજવરમાં મુશ્કેલી ઉભી થઈ હતી. જ્યારે ખોખરામાં રૂક્ષ્મણી બેન હોસ્પિટલ પાસે પાણી ભરાઈ જતાં લોકોના વાહન બંધ પડી ગયા હતા.

રામોલમાં લોડિંગ ટેમ્પો પલ્ટી ગયો

રામોલ રિંગરોડ પર રામોલ જવાના રસ્તા પર 15 દિવસ પહેલાં જ પુરાણ કરવામાં આવ્યું હતું ત્યા યોગ્ય કામગીરી ન કરવામાં આવતાં લોડિંગ ટેમ્પો વરસાદમાં પલ્ટી ગયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0