Ahmedabad: વિરાટનગર વોર્ડના સરદારમોલથી જીવનવાડી સુધી બે કિમીનો રોડ બિસમાર,લોકો ત્રાહિમામ્

Jun 7, 2025 - 00:30
Ahmedabad: વિરાટનગર વોર્ડના સરદારમોલથી જીવનવાડી સુધી બે કિમીનો રોડ બિસમાર,લોકો ત્રાહિમામ્

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પૂર્વમાં વિરાટનગર વોર્ડમાં આવેલા સરદાર મોલથી ઈન્દ્રજીત સોસાયટીથી વિવેકાનંદ માર્કેટ થઈને જીવનવાડી સુધીનો બે કિલોમીટરના નિકોલ ગામવાળા રોડને પૂર્વ બાજુએ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા એ વર્ષ પહેલાં રોડ લાઈનનો અમલ કરીને પહોળો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી તે આજદીન સુધી પુર્ણ કરવામાં આવી નથી. આ રોડ પર પીવાના પાણીની લાઈનો નાખવાની તથા વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી પણ અધૂરી મુકી દેવામાં આવી છે અને તેના કારણે બંને બાજુના અસંખ્ય દુકાનદારોના ધંધો રોજગાર ઠપ્પ થઈ ગયો છે.

પૂર્વમાં નિકોલ, કઠવાડા તથા વિરાટનગરના રાહદારીઓ તથા વાહનચાલકો આ બિસમાર રોડના કારણે હેરાન પરેશાન થઈ ગયા છે. એકબાજુ ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી છે. તેમજ છેલ્લા બે વર્ષથી ચાલુ કરવામાં આવેલ ખારીકટ કેનાલની કામગીરી પણ અધૂરી છે, ત્યારે આગામી ચોમાસાંમાં સ્થાનિક રહીશોની પરિસ્થિતિ વધુ ખરાબ ના થાય તે માટે પૂર્વ ઝોનના ડેપ્યુટી મ્ુનિ.કમિશનરને આ રોડ, પીવાના પાણીની લાઈનની કામગીરી પુર્ણ કરવા તથા નિકોલ, કઠવાડા તરફ આવવા જવા માટેના મુખ્ય માર્ગને તાત્કાલીક રિસરફેસની કામગીરી ઝડપી પૂર્ણ કરવા લોકમાગ ઉઠી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0