Ahmedabad: જમાલપુર માર્કેટ આસપાસથી લારીઓનું દબાણ દૂર કરાયું

મધ્ય ઝોનમાં ખાડિયા, જમાલપુર તેમજ મેઘાણીનગર વિસ્તારમાં વિવિધ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.જમાલપુર ફૂલ અને શાક માર્કેટથી ગીતા મંદિર બસ સ્ટેન્ડ સુધી લાંબા સમયથી લારીના કારણે દબાણ ઉભું થઈ રહ્યું હતું જેને હટાવવાની કામગીરી કરાઈ છે. જેમાં અંદાજે 50 જેટલી લારીઓ જપ્ત કરાઈ છે. જ્યારે મેઘાણીનગરમાં રત્ન સાગર ચાર રસ્તા નજીક પણ 45 જેટલી લારીઓ જપ્ત કરાઈ છે. તેમજ ખાડિયામાં કેદારમ થી ભૂતની આંબલી વિસ્તારમાં રસ્તા પર 31 જેટલા ફૂટપાથ પરના દબાણ અને કાચા શેડ દૂર કરવામાં આવ્યા છે. જેમાં રોડ પર 4 જેટલાં કાચા શેડ તથા 13 જેટલા ઓટલા તેમજ 14 કાચા ઝૂપડા ગેરકાયદેસર રીતે રોડ પર ઉભા કરી દેવાયા હતા. જેને એસ્ટેટ વિભાગ દ્વારા દૂર કરવામાં આવ્યા છે. જેની સાથે જ 800 મીટર જેટેલો રોડ ટ્રાફિકના અવરજવર માટે ખુલ્લો કરાયો છે.

Ahmedabad: જમાલપુર માર્કેટ આસપાસથી લારીઓનું દબાણ દૂર કરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મધ્ય ઝોનમાં ખાડિયા, જમાલપુર તેમજ મેઘાણીનગર વિસ્તારમાં વિવિધ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

જમાલપુર ફૂલ અને શાક માર્કેટથી ગીતા મંદિર બસ સ્ટેન્ડ સુધી લાંબા સમયથી લારીના કારણે દબાણ ઉભું થઈ રહ્યું હતું જેને હટાવવાની કામગીરી કરાઈ છે. જેમાં અંદાજે 50 જેટલી લારીઓ જપ્ત કરાઈ છે. જ્યારે મેઘાણીનગરમાં રત્ન સાગર ચાર રસ્તા નજીક પણ 45 જેટલી લારીઓ જપ્ત કરાઈ છે. તેમજ ખાડિયામાં કેદારમ થી ભૂતની આંબલી વિસ્તારમાં રસ્તા પર 31 જેટલા ફૂટપાથ પરના દબાણ અને કાચા શેડ દૂર કરવામાં આવ્યા છે. જેમાં રોડ પર 4 જેટલાં કાચા શેડ તથા 13 જેટલા ઓટલા તેમજ 14 કાચા ઝૂપડા ગેરકાયદેસર રીતે રોડ પર ઉભા કરી દેવાયા હતા. જેને એસ્ટેટ વિભાગ દ્વારા દૂર કરવામાં આવ્યા છે. જેની સાથે જ 800 મીટર જેટેલો રોડ ટ્રાફિકના અવરજવર માટે ખુલ્લો કરાયો છે.