Ahmedabad: ખોખરામાં ચોમાસા પહેલાં સમ્પનુંમેન્ટેનન્સ ન કરાય તો મોટીઆફત આવવાની શક્યતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ખોખરા વોર્ડમાં ગુરુજી રેલવે ઓવરબ્રિજ નીચે આવેલા સંમ્પની દયનીય હાલત જોવા મળી રહી છે. ચોમાસાં પહેલાં સમ્પનું મેન્ટેનન્સ કરવા સ્થાનિકોમી માગ ઉઠી છે.
મણિનગર રેલવે ફાટકથી જશોદાનગરના માર્ગ પર શારરદાબેનની વાડીની પાસે આવેલા ગુરુજી રેલવે ઓવરબ્રિજ નીચે વર્ષોથી સમ્પ બનાવવામાં આવ્યો છે અને તેમાં ત્રણેય હેવી મોટર પમ્પ સેટ પણ લગાવવામાં આવેલા છે. કોઈ ખામીના કારણે દર વર્ષે આ સમ્પ ચોમાસામાં જ ખોટકાય જાય છે.
સમ્પને સંચાલન કરનાર સંસ્થાના જવાબદાર કર્મચારી કે ઈલેક્ટિશિયન સમયસર પંપને ચાલ્ુ ના કરતા હોવાથી આસપાના વિસ્તારોમાં પાણી ભરાતા હોય છે. જેથી નજીકમાં આવેલ ગોરના કૂવાની વિવિધ સોસાયટીઓ અને છેક હાટકેશ્વર સર્કલ સુધી વરસાદના ભરાયેલા પાણી ઘરમાં ઘુસી જતાં ઘરો અને દુકાનોમાં ભારે નુકસાન ભોગવવાનો વારો આવે છે.
ચાલુ ચોમાસાંમાં ભરાયેલ પાણીના નિકાલ માટે સોસાયટીના નાગરિકો સ્થાનિક નગરસેવકો અને ધારાસભ્યઓને રજૂઆત કરીને તાકીદે પંપ ચાલુ કરીને નજીકમાં ખાલી ખારીકટ કેનાલમા વાળવા માટે આજીજી કરતા હોય છે પણ સંચાલકોના પેટ નું પાણી પણ હલતું નથી.
દર ચોમાસાંમા આ રીતની સ્થિતિ ઊભી થાય છે પણ તેનો કોઈ ઉકેલ આવતો નથી તેથી નાયબ મ્યુનિસિપલ કમિશનરે જાતે આવીને આ સમ્પ તેની પુરી ક્ષમતાથી કેમ કામ નથી કરી શકતો તેની તપાસ આ ચોમાસા પહેલા કરવી જોઈએ તેવી સ્થાનિક નાગરિકોની રજૂઆત અને માગણી છે.
સમ્પમા જાળીની ઉપર પ્લાસ્ટિક કે કચરો પણ આવી જાય તો પંપ કામ કરતો હોતો નથી તેવી સ્થિતિ સર્જાતી હોય છે. આ સમ્પનું સંચાલન ખોખરાના નગરસેવકના પરિવારના સભ્ય તેમની સંસ્થા વતી સંચાલન કરતા હોય જવાબદારી પૂર્વક આ સમ્પનું સંચાલન કરે અને સમયસર પાણી ભરાય તે પહેલા મોટરો ચાલુ કરીને તેનો નિકાલ કરે તેવી માગણી સ્થાનિક નાગરિકો કરી રહ્યા છે.
ખોખરામાં ચોમાસામાં મોટી સમસ્યા ઊભી થશે
ખોખરા વોર્ડમાં દર વર્ષે પાણી ભરાવવાની સમસ્યા ઊભી થતી હોય છે. ત્યારે આ સમ્પ સમસસર ચાલુ ન કરવામાં આવતા પુષ્કરણ પ્રમાણમાં પાણી વહેતું હોય છે, આજુબાજુની સોસાયટી અને હાટકેશ્વર સુધી પાણી પહોંચતુ ંહોય છે. અનેક ઘરોમાં અને દૂકાનોમાં પાણી ઘુસવાથી લોકોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવી રહ્યો છે. ત્યારે ચોમાસાં પહેલાં સમ્પનું મેન્ટેનન્સ કરવામાં આવે તો ચોમાસાંમા લોકો રાહતનો શ્વાસ લઈ શકે. ચોમાસા પહેલાં જ પાણી ભરાવવાની સમસ્યા ઊભી થઈ રહી છે. તો ચોમાસામાં શું હાલત જોવા મળશે ? છેલ્લા કેટલાય સમયથી મેન્ટનન્સ ન કરતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રઙી છે.
What's Your Reaction?






