Ahmedabadના દરિયાપુરમાં રામજીની પ્રતિમાં પર ગણેશજીનું કરાયું સ્થાપન

અમદાવાદમાં ઠેર ઠેર ગણેશ મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે,લોકો તેમની યથા શકિત પ્રમાણે ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરતા હોય છે.દરિયાપુરમાં પંડાલમાં વિશેષ પૂજા અર્ચના સાથે કથાનું આયોજન કરવામાં આવ્યું છે,પંડાલમાં ગણેશજી સાથે ભગવાન રામનું સ્થાપન કરાયું છે.પંડાલોમાં ગણેશ વિસર્જનની ભક્તો દ્વારા તૈયારીઓ પણ કરાઈ છે,દર વખતની જેમ આ વખતે અલગ થીમ પર ગણપતિનું સ્થાપન કરાયું છે.ભગવાન રામની જોડે મૂર્તિ દેશભરમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે,ત્યારે દરિયાપુરમાં આ વખતે ગણેશજીની પ્રતિમાનું અનોખી મૂર્તિ સાથે સ્થાપન કરાયું છે,ભગવાન ગણેશની મૂર્તિ વચ્ચે અને આસપાસ રામ અને શબરીની પ્રતિકૃતિ વાળો ફોટો મૂકવામાં આવ્યો છે,હજારો ભકતો રોજના દર્શન કરવા આવે છે.અને તેમની મનોકામના દાદા પૂર્ણ કરે છે,આયોજકનું કહેવું છે કે,દર વર્ષે અલગ થીમ પર પ્રતિમા લાવવામાં આવે છે. રોડને અપાયું ડાવર્ઝન અમદાવાદમાં સાબરમતી નદીએ કૃત્રિમ કુંડ બનાવીને વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેના કારણે સાબરમતી નદી સાથે જોડાયેલા ઘણાં મુખ્ય રસ્તા અને બ્રિજને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડીને લોકોને આ વિશે માહિતી આપી છે. જેનાથી ગણેશે વિસર્જનના દિવસે લોકોને કલાકો સુધી ટ્રાફિકમાં હેરાન થવાનો વારો ન આવે. જાહેરનમામાં ટ્રાફિક પોલીસે જણાવ્યું છે કે, પ્રતિબંધિત કરેલા તથા ટ્રાફિક માટે ડાયવર્ટ કરેલાં તમામ માર્ગો ઉપર કોઈપણ પ્રકારનું વાહન પાર્કિંગ કરી શકાશે નહીં. આ તમામ રસ્તાને નો-પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે.અમદાવાદમાં ગણપતિ વિસર્જન માટે તંત્ર દ્વારા અલગથી વ્યવસ્થા કરવામાં આવે છે. આ દરમિયાન ગણેશ ભક્તો તેમજ સામાન્ય લોકોને તકલીફ ન પડે અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે 17 સપ્ટેમ્બરે બપોરના 1 વાગ્યાથી અમુક રસ્તા બંધ કરવાની જાહેરાત કરી છે. અનેક જગ્યાએ ગણેશ પંડાલો અત્યારે સમગ્ર દેશની અંદર ગણેશોત્સવનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં વિવિધ જગ્યાઓ પર 800 કરતાં પણ વધુ ગણપતિ પંડાલો લગાવવામાં આવ્યા છે. જેમાં વિવિધ સ્વરૂપના ગણપતિના દર્શન માટે લોકોની ભીડ પણ જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદમાં ભગવાન શ્રી ગણેશના ઉકૃષ્ટ ફોટોસના કલેક્શનનું એક્ઝિબિશન થઈ રહ્યું છે. સ્ટ્રીટ ફોટોગ્રાફર શ્વેતા રાજેશ્વરી દ્વારા અમદાવાદના ભૂયંગદેવ વિસ્તારમાં આવેલા પોતાના સ્ટુડીઓ ખાતે ભગવાન શ્રી ગણેશના રેર ફોટોસનું કલેક્શન અમદાવાદના ગણેશ પ્રેમીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.  

Ahmedabadના દરિયાપુરમાં રામજીની પ્રતિમાં પર ગણેશજીનું કરાયું સ્થાપન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં ઠેર ઠેર ગણેશ મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે,લોકો તેમની યથા શકિત પ્રમાણે ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરતા હોય છે.દરિયાપુરમાં પંડાલમાં વિશેષ પૂજા અર્ચના સાથે કથાનું આયોજન કરવામાં આવ્યું છે,પંડાલમાં ગણેશજી સાથે ભગવાન રામનું સ્થાપન કરાયું છે.પંડાલોમાં ગણેશ વિસર્જનની ભક્તો દ્વારા તૈયારીઓ પણ કરાઈ છે,દર વખતની જેમ આ વખતે અલગ થીમ પર ગણપતિનું સ્થાપન કરાયું છે.

ભગવાન રામની જોડે મૂર્તિ

દેશભરમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે,ત્યારે દરિયાપુરમાં આ વખતે ગણેશજીની પ્રતિમાનું અનોખી મૂર્તિ સાથે સ્થાપન કરાયું છે,ભગવાન ગણેશની મૂર્તિ વચ્ચે અને આસપાસ રામ અને શબરીની પ્રતિકૃતિ વાળો ફોટો મૂકવામાં આવ્યો છે,હજારો ભકતો રોજના દર્શન કરવા આવે છે.અને તેમની મનોકામના દાદા પૂર્ણ કરે છે,આયોજકનું કહેવું છે કે,દર વર્ષે અલગ થીમ પર પ્રતિમા લાવવામાં આવે છે.

રોડને અપાયું ડાવર્ઝન

અમદાવાદમાં સાબરમતી નદીએ કૃત્રિમ કુંડ બનાવીને વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેના કારણે સાબરમતી નદી સાથે જોડાયેલા ઘણાં મુખ્ય રસ્તા અને બ્રિજને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડીને લોકોને આ વિશે માહિતી આપી છે. જેનાથી ગણેશે વિસર્જનના દિવસે લોકોને કલાકો સુધી ટ્રાફિકમાં હેરાન થવાનો વારો ન આવે. જાહેરનમામાં ટ્રાફિક પોલીસે જણાવ્યું છે કે, પ્રતિબંધિત કરેલા તથા ટ્રાફિક માટે ડાયવર્ટ કરેલાં તમામ માર્ગો ઉપર કોઈપણ પ્રકારનું વાહન પાર્કિંગ કરી શકાશે નહીં. આ તમામ રસ્તાને નો-પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે.અમદાવાદમાં ગણપતિ વિસર્જન માટે તંત્ર દ્વારા અલગથી વ્યવસ્થા કરવામાં આવે છે. આ દરમિયાન ગણેશ ભક્તો તેમજ સામાન્ય લોકોને તકલીફ ન પડે અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે 17 સપ્ટેમ્બરે બપોરના 1 વાગ્યાથી અમુક રસ્તા બંધ કરવાની જાહેરાત કરી છે.

અનેક જગ્યાએ ગણેશ પંડાલો

અત્યારે સમગ્ર દેશની અંદર ગણેશોત્સવનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં વિવિધ જગ્યાઓ પર 800 કરતાં પણ વધુ ગણપતિ પંડાલો લગાવવામાં આવ્યા છે. જેમાં વિવિધ સ્વરૂપના ગણપતિના દર્શન માટે લોકોની ભીડ પણ જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદમાં ભગવાન શ્રી ગણેશના ઉકૃષ્ટ ફોટોસના કલેક્શનનું એક્ઝિબિશન થઈ રહ્યું છે. સ્ટ્રીટ ફોટોગ્રાફર શ્વેતા રાજેશ્વરી દ્વારા અમદાવાદના ભૂયંગદેવ વિસ્તારમાં આવેલા પોતાના સ્ટુડીઓ ખાતે ભગવાન શ્રી ગણેશના રેર ફોટોસનું કલેક્શન અમદાવાદના ગણેશ પ્રેમીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.