Ahmedabadના ઓઢવમાં જુની અદાવતમાં ખેલાયો લોહિયાળ ખેલ; એક યુવક પર ત્રણ શખ્સોનો ઘાતકી હુમલો

Jun 13, 2026 - 01:30
Ahmedabadના ઓઢવમાં જુની અદાવતમાં ખેલાયો લોહિયાળ ખેલ; એક યુવક પર ત્રણ શખ્સોનો ઘાતકી હુમલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઓઢવમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. ઓઢવ વિસ્તારમાં જૂના ઝઘડાની અદાવત રાખીને ત્રણ શખ્સોએ એક યુવક પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં મયુર મનોજભાઈ સાવંત નામનો યુવક લોહીલુહાણ થઈને ઢળી પડ્યો હતો. જાહેર વિસ્તારમાં બનેલી આ લોહિયાળ ઘટનાને પગલે સમગ્ર ઓઢવ પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે અને સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે.

મામા સાથેના જૂના ઝઘડાની વાતચીતમાં તકરાર અને હુમલો

આ હુમલા પાછળ પારિવારિક કે જૂની અદાવત જવાબદાર હોવાનું સામે આવ્યું છે. મયુરના મામા સાથે આરોપીઓનો અગાઉ કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ જૂના ઝઘડા અંગે વાતચીત કરવા અને સમાધાનના ઈરાદે જ્યારે પક્ષકારો ભેગા થયા, ત્યારે અચાનક મામલો બિચક્યો હતો અને બંને પક્ષે ઉગ્ર તકરાર થઈ હતી. આ બોલાચાલી દરમિયાન ઉશ્કેરાઈ ગયેલા રાજા અશોકભાઈ સાવંત, આદિત્ય અશોકભાઈ સાવંત અને આશિષ મકવાણા નામના ત્રણ શખ્સોએ પોતાની પાસે રહેલી તીક્ષ્ણ છરીઓ કાઢીને મયુર પર આડેધડ ઘા ઝીંકવાનું શરૂ કરી દીધું હતું.

પરિવારજનો દોડી આવ્યા અને ઓઢવ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

આ હુમલા દરમિયાન મયુરને બરડા, કમર, જમણા હાથની કોણી તેમજ હથેળીના ભાગે છરીના ગંભીર ઘા વાગ્યા હતા. મયુરની બુમાબુમ અને ચીસાચીસ સાંભળીને નજીકમાં હાજર તેના કાકા વિનોદભાઈ અને દાદી પાર્વતીબેન તાત્કાલિક તેને બચાવવા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પરિવારજનોને આવતા જોઈ હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યા હતા. લોહીલુહાણ હાલતમાં મયુરને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ ઓઢવ પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0