30 વર્ષના શાસન પછી પણ ગુજરાતમાં ભાજપના મંત્રીઓ સભ્ય બનાવવા લોકો સામે કગરવા મજબૂર

Gujarat BJP: ગુજરાતમાં ભાજપે સદસ્યતા અભિયાન શરૂ કર્યુ છે પણ મોળો પ્રતિસાદ મળ્યો છે. 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે તેમ છતાંય સભ્યપદ માટે ભાજપે અવનવા અખતરાં અજમાવ્યા છે આમ છતાંય સભ્ય નોંધાતા નથી. આ કારણોસર હાઇકમાન્ડે પ્રદેશ નેતાઓને ઠપકો આપ્યો છે. એટલુ જ નહીં, ગાંધીનગરમાં સચિવાલયની બેઠક પણ સદસ્યતા અભિયાનને લીધે જ રદ કરવી પડી છે. પ્રજાના કામોને કોરાણે મૂકીને મંત્રીઓ સભ્ય નોંધણી માટે મત વિસ્તારમાં દોડયા છે. આ કારણોસર સચિવાલયમાં મુલાકાતીઓ પણ રખડી પડ્યા હતાં.ભાજપનું સદસ્યતા અભિયાન વિવાદમાં!આ વખતે ભાજપનું સદસ્યતા અભિયાન વિવાદમાં રહ્યુ છે કારણે, તલાટી, શિક્ષકો, પંચાયત કમ્પ્યુટર ઓપરેટરને ટાર્ગેટ અપાયા છે. આ ઉપરાંત શાળા-કોલેજોના વિદ્યાર્થીઓને ભાજપના સભ્યો બનાવી દેવાયા છે. સભ્ય બનવા માટે 500 રૂપિયાની ઓફર કરવામાં આવી રહી છે. આવા અખતરાં પછીય સભ્યો નોંધાતા નથી. સદસ્યતા અભિયાનના શરૂઆતમાં એવી ડીંગો હાંકવામાં આવી હતી કે, ઉત્તર પ્રદેશ કરતાં ગુજરાતમાં ભાજપ વધુ સભ્યો નોંધશે પણ એવુ થયુ નથી. અભિયાનની સમયઅવધિ પૂર્ણ થવા આવી છે ત્યારે 2 કરોડની વાત તો બાજુએ રહી. હજુ 50 લાખનો આંકડો પાર થઈ શક્યો નથી.લોકો સરકારથી ભારોભાર નારાજબીજી તરફ ગુજરાતમાં ભાજપ સદસ્યતા અભિયાનને મોળો પ્રતિસાદ મળ્યો છે ત્યારે દિલ્હી હાઇકમાન્ડે ગંભીર નોંધ લીધી છે. એટલુ જ નહીં, ભાજપ પ્રદેશ નેતાઓનો ઉધડો લીધો છે. આ જોતાં ભાજપના નેતાઓ તો ઠીક મંત્રીઓ પણ મત વિસ્તારમાં દોડ્યાં છે. સાંસદથી માંડીને ધારાસભ્ય, પંચાયત-પાલિકાના ચૂંટાયેલાં સભ્યોને ટાર્ગેટ અપાયા છે. હાલ લોકો સરકારથી ભારોભાર નારાજ છે. પ્રજાના કામો થતાં નથી. આ જોતાં ભાજપના નેતાઓ લોકો વચ્ચે જઈ શકતાં નથી. ખુદ ભાજપના ગઢ સમાન વિસ્તારમાં ભાજપના સભ્ય બનતા નથી. ભાજપના નેતાઓ જ અંદરખાને કહી રહ્યાં છે કે, જો 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું રાજ છે. જો પ્રજાના કામો કર્યા હોત આ દશા આવી ન હોત.એક સમયે લોકો સામે ચાલીને મિલકોલ કરી ભાજપના સભ્ય બનતાં હતાં. હવે ચિત્ર બદલાયુ છે. મંત્રીઓથી માંડીને ધારાસભ્ય-સાંસદોએ મત વિસ્તારમાં લોકોને કરગરવુ પડે છે. અત્યારે એકેય ધારાસભ્ય, સાંસદ કે મંત્રી ખોખારો ખાઈને ટાર્ગેટ પૂર્ણ કર્યો છે તેમ કહી શકે તેવી અવસ્થામાં નથી. ગાંધીનગરમાં કેબિનેટની બેઠક રદ કરાઈ હતી અને મંત્રીઓને મત વિસ્તારમાં દોડાવાયાં હતાં. આ કારણોસર સચિવાલયમાં બુધવાર મુલાકાતનો દિવસ હોવાછતાંય મુલાકાતીઓને ગાંધીનગરનો ધક્કો ખાવો પડયો હતો. આમ, મંત્રીઓએ પ્રજાના કામોને બદલે પક્ષના સભ્ય નોધણીને પ્રાધાન્ય આપવું પડ્યુ હતું.

30 વર્ષના શાસન પછી પણ ગુજરાતમાં ભાજપના મંત્રીઓ સભ્ય બનાવવા લોકો સામે કગરવા મજબૂર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat BJP

Gujarat BJP: ગુજરાતમાં ભાજપે સદસ્યતા અભિયાન શરૂ કર્યુ છે પણ મોળો પ્રતિસાદ મળ્યો છે. 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે તેમ છતાંય સભ્યપદ માટે ભાજપે અવનવા અખતરાં અજમાવ્યા છે આમ છતાંય સભ્ય નોંધાતા નથી. આ કારણોસર હાઇકમાન્ડે પ્રદેશ નેતાઓને ઠપકો આપ્યો છે. એટલુ જ નહીં, ગાંધીનગરમાં સચિવાલયની બેઠક પણ સદસ્યતા અભિયાનને લીધે જ રદ કરવી પડી છે. પ્રજાના કામોને કોરાણે મૂકીને મંત્રીઓ સભ્ય નોંધણી માટે મત વિસ્તારમાં દોડયા છે. આ કારણોસર સચિવાલયમાં મુલાકાતીઓ પણ રખડી પડ્યા હતાં.

ભાજપનું સદસ્યતા અભિયાન વિવાદમાં!

આ વખતે ભાજપનું સદસ્યતા અભિયાન વિવાદમાં રહ્યુ છે કારણે, તલાટી, શિક્ષકો, પંચાયત કમ્પ્યુટર ઓપરેટરને ટાર્ગેટ અપાયા છે. આ ઉપરાંત શાળા-કોલેજોના વિદ્યાર્થીઓને ભાજપના સભ્યો બનાવી દેવાયા છે. સભ્ય બનવા માટે 500 રૂપિયાની ઓફર કરવામાં આવી રહી છે. આવા અખતરાં પછીય સભ્યો નોંધાતા નથી. સદસ્યતા અભિયાનના શરૂઆતમાં એવી ડીંગો હાંકવામાં આવી હતી કે, ઉત્તર પ્રદેશ કરતાં ગુજરાતમાં ભાજપ વધુ સભ્યો નોંધશે પણ એવુ થયુ નથી. અભિયાનની સમયઅવધિ પૂર્ણ થવા આવી છે ત્યારે 2 કરોડની વાત તો બાજુએ રહી. હજુ 50 લાખનો આંકડો પાર થઈ શક્યો નથી.

લોકો સરકારથી ભારોભાર નારાજ

બીજી તરફ ગુજરાતમાં ભાજપ સદસ્યતા અભિયાનને મોળો પ્રતિસાદ મળ્યો છે ત્યારે દિલ્હી હાઇકમાન્ડે ગંભીર નોંધ લીધી છે. એટલુ જ નહીં, ભાજપ પ્રદેશ નેતાઓનો ઉધડો લીધો છે. આ જોતાં ભાજપના નેતાઓ તો ઠીક મંત્રીઓ પણ મત વિસ્તારમાં દોડ્યાં છે. સાંસદથી માંડીને ધારાસભ્ય, પંચાયત-પાલિકાના ચૂંટાયેલાં સભ્યોને ટાર્ગેટ અપાયા છે. હાલ લોકો સરકારથી ભારોભાર નારાજ છે. પ્રજાના કામો થતાં નથી. આ જોતાં ભાજપના નેતાઓ લોકો વચ્ચે જઈ શકતાં નથી. ખુદ ભાજપના ગઢ સમાન વિસ્તારમાં ભાજપના સભ્ય બનતા નથી. ભાજપના નેતાઓ જ અંદરખાને કહી રહ્યાં છે કે, જો 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું રાજ છે. જો પ્રજાના કામો કર્યા હોત આ દશા આવી ન હોત.

એક સમયે લોકો સામે ચાલીને મિલકોલ કરી ભાજપના સભ્ય બનતાં હતાં. હવે ચિત્ર બદલાયુ છે. મંત્રીઓથી માંડીને ધારાસભ્ય-સાંસદોએ મત વિસ્તારમાં લોકોને કરગરવુ પડે છે. અત્યારે એકેય ધારાસભ્ય, સાંસદ કે મંત્રી ખોખારો ખાઈને ટાર્ગેટ પૂર્ણ કર્યો છે તેમ કહી શકે તેવી અવસ્થામાં નથી. ગાંધીનગરમાં કેબિનેટની બેઠક રદ કરાઈ હતી અને મંત્રીઓને મત વિસ્તારમાં દોડાવાયાં હતાં. આ કારણોસર સચિવાલયમાં બુધવાર મુલાકાતનો દિવસ હોવાછતાંય મુલાકાતીઓને ગાંધીનગરનો ધક્કો ખાવો પડયો હતો. આમ, મંત્રીઓએ પ્રજાના કામોને બદલે પક્ષના સભ્ય નોધણીને પ્રાધાન્ય આપવું પડ્યુ હતું.