સુરેન્દ્રનગરના સ્મશાનમાં નવરાત્રી દરમિયાન વેશધારણની અનોખી પરંપરા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાતમ, આઠમ અને નોમના દિવસે ભક્તો અહીં ચાચર નાંખે છે અને માતાજીની આરાધના કરે છે
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગરમાં આવેલા સ્મશાનમાં સ્મશાન ગૃપ દ્વારા નવરાત્રી નિમિત્તે એક અનોખા ધાર્મિક આયોજન કરવામાં આવે છે. નવરાત્રીના પ્રથમ દિવસથી માંડીને નવ દિવસ સુધી અહીં માતાજીની આરાધના અને ગરબાનું આયોજન થાય છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શાંતિપૂર્ણ માહોલમાં ભાગ લે છે.
આ આયોજનની એક ખાસ ઓળખ એ છે કે અહીં વર્ષોે જૂની વેશધારણની પરંપરાનું પાલન થાય છે, જે ખાસ કરીને સાતમ, આઠમ અને નોમ સાથે જોડાયેલી છે. આ પરંપરા અંતર્ગત, ભક્તો અહીં ચાચર નાંખે છે અને માતાજીની આરાધના કરે છે.
What's Your Reaction?






