સરકારી કચેરીઓ અને પો.સ્ટે.માં ધાર્મિક દબાણો સામે તંત્રનું મૌન

Feb 13, 2025 - 03:00
સરકારી કચેરીઓ અને પો.સ્ટે.માં ધાર્મિક દબાણો સામે તંત્રનું મૌન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા, તા.12 હાઇકોર્ટના દિશા નિર્દેશ મુજબ રાજ્યમાં જિલ્લા અને શહેર કક્ષાએ જાહેર સ્થળોએ ગેરકાયદે ધાર્મિક સ્થળોને દૂર કરવા માટે કમિટિઓની રચના કરવામાં આવી છે પરંતુ વિવિધ સરકારી કચેરીઓમાં જ સરકારી જમીનો પર અનેક સ્થળોએ ધાર્મિક સ્થળો બનાવી દેવામાં આવ્યા છે તે તરફ કમિટિનું ધ્યાન જતું નથી.

ઉલ્લેખનીય છે કે રસ્તા પરના ધાર્મિક સ્થાનો હટાવવાના સુઓમોટો કેસમાં હાઇકોર્ટ દ્વારા તાજેતરમાં ધાર્મિક સ્થાનોના દબાણો સામે જરૃર પડે તો લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પણ પગલાં લેવા પડે તો લો તેમ જણાવવામાં આવ્યું હતું. હાઇકોર્ટના નિર્દેશ મુજબ સરકાર પણ જાહેર સ્થળોએ ધાર્મિક દબાણો હટાવવા મુદ્દે ગંભીર છે પરંતુ વિવિધ સરકારી કચેરીઓ  અને પોલીસ સ્ટેશનોમાં જે સરકારી જગ્યા છે ત્યાં અનેક સ્થળોએ ધાર્મિક દબાણો છે તેના પર તંત્રની નજર જતી નથી.

વડોદરા જિલ્લામાં આવેલી સરકારી કચેરીઓમાં છેલ્લા ઘણા વર્ષોથી ધાર્મિક દબાણો હોવા છતાં તંત્રનું ધ્યાન આ દબાણો પર જતું નથી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0