વડોદરામાં નર્મદા કેનાલ પર ફરવા ગયેલા 2 તબીબી વિદ્યાર્થીના ડૂબી જતાં મોત, એક સુરત અને બીજો જામનગરનો રહેવાસી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara News : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે અનેક વિસ્તારોમાં નદી-કેનાલ છલકાઈ છે. આ દરમિયાન કેનાલ કે નદીમાં ડૂબી જવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે વડોદરામાં નર્મદા કેનાલ પર ફરવા ગયેલા 2 તબીબી વિદ્યાર્થીના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. મૃતકમાં એક સુરત અને બીજો જામનગરનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતકોને ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તાલુકા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
What's Your Reaction?






