વડોદરામાં ડ્રેનેજ લાઈનો ચોક અપ અને ડેમેજ થતાં ટેમ્પરરી પંપો મૂકી પાણી ઉલેચી નિકાલ

Feb 11, 2025 - 13:30
વડોદરામાં ડ્રેનેજ લાઈનો ચોક અપ અને ડેમેજ થતાં ટેમ્પરરી પંપો મૂકી પાણી ઉલેચી નિકાલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara Corporation : વડોદરામાં ડ્રેનેજના પાણીના નિકાલ માટે લાઈનો ચોકઅપ થવાથી, લાઈનોમાં ભંગાણ અથવા તો લાઈનોનું લેવલ નહીં મળવાથી  પાણી ઘણા સ્થળે પંપિંગ દ્વારા ઉલેચીને નિકાલ કરવો પડે છે. આ માટે કોર્પોરેશનને સતત પંપો ચાલુ રાખવા પડે છે. હાલ શહેરમાં 31 સ્થળે આવા પંપો ચાલુ છે. વરસાદી પાણીનો નિકાલ કરવા, તળાવમાંથી ગંદા પાણી બહાર કાઢવા પણ પંપો ચાલુ રાખવા પડે છે. આ સ્થિતિમાં પંપોની આવશ્યકતા વધતા કોર્પોરેશનની સ્ટેન્ડિંગ સમિતિએ તાજેતરમાં 20 HPના 10 અને 40 HPનો એક પંપ ખરીદવાનું નક્કી કર્યું છે. કોર્પોરેશન હકીકતમાં ડ્રેનેજના પાણીના તાત્કાલિક નિકાલ માટે પંપો મૂકવાનું ટેમ્પરરી ધોરણે કામ કરે છે, પરંતુ ડ્રેનેજ સિસ્ટમમાં સુધારો ન થતા પંપો બાદમાં કાયમી વ્યવસ્થા બની જાય છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0