પંચમહાલ: વાંટાવછોડા ગામમાં પુત્રએ કુહાડીના ઘા ઝીંકી પિતાની હત્યા કરી, નજીવી બાબતે ખેલાયો ખૂની ખેલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Panchmahal Crime: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાંટાવછોડા ગામમાં નજીવી બાબતે પુત્રએ પોતાના પિતાની ઘાતકી હત્યા કરી હોવાની ચકચારજનક ઘટના સામે આવી છે. પગી ફળિયામાં બનેલી આ ઘટનામાં પિતાએ ગાળો બોલવાની ના પાડતા આવેશમાં આવેલા પુત્રએ કુહાડીના ઘા ઝીંકી પિતાનું ઢીમ ઢાડી દીધુ હતું.
જાણો શું છે મામલો
મૃતક પ્રતાપ પગી અને તેમના પુત્ર અરુ પગી વચ્ચે લાંબા સમયથી જમીન બાબતે ઝઘડો ચાલી રહ્યો હતો. રવિવારે (20મી ઓક્ટોબર) ફરી આ મામલે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.
What's Your Reaction?






