ગૃહવિભાગે CID ક્રાઇમના પૂર્વ વડા સહિતના અધિકારીઓની પુછપરછ કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,સોમવાર
ગાંધીનગર પોલીસ ભવનમાં સીઆઇડી ક્રાઇમના આર્થિક ગુના નિવારણ શાખામાં અરજીની તપાસમાં ભ્રષ્ટ્રાચાર અને વધારે સમય લેવાને કારણે કામના ભારણના મામલે કરવામાં આવેલી ફરિયાદ બાદ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગના નામે તપાસ કરવામાં આવતા ભારે વિવાદ થયો હતો. જે અંગે ગૃહવિભાગે ગંભીર નોંધ લીધી હતી. જે અનુસંધાનમાં સોમવારે ગૃહવિભાગમાં સીઆઇડી ક્રાઇમના પૂર્વ વડા રાજકુમાર પાંડિયન, મોનીટરીંગ સેલના વડા નિર્લિપ્ત રાય અને ડીજીપી વિકાસ સહાયને બોલાવીને સમગ્ર મામલે પુછપરછ કરીને વિગતો અગે માહિતી મેળવી હતી. આ અંગે આગામી સમયમાં અન્ય અધિકારીઓની પુછપરછ કરવામાં આવશે તેમ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ગાંધીનગર પોલીસ ભવનમાં થોડા દિવસ પહેલા સીઆઇડી ક્રાઇમના આર્થિક ગુના નિવારણ શાખામા અરજીઓની તપાસમાં લાંબો સમય લેવામાં આવતો હોવાની સાથે કેટલાંક અધિકારીઓ દ્વારા ભ્રષ્ટ્રાચાર કરવામાં આવતો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવતા ડીજીપી વિકાસ સહાયે સ્ટેટ મોનીટરીંગ સેલના વડા નિલિપ્ત રાયને ચેકિંગ કરવા માટે સુચના આપી હતી.
What's Your Reaction?






