કરંટથી મોતને ભેટેલા કર્મચારીના પરિવારજનોના વીજ કંપનીની ઓફિસ બહાર ધરણા, ન્યાયની માગ

Feb 6, 2025 - 20:30
કરંટથી મોતને ભેટેલા કર્મચારીના પરિવારજનોના વીજ કંપનીની ઓફિસ બહાર ધરણા, ન્યાયની માગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા,ગુરુવાર

વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં ઝાંસીની રાણી સર્કલ પાસે આવેલા જ્યોતિનગરમાં વીજ લાઈન પર કામ કરી રહેલા મધ્ય ગુજરાત વીજ કંપનીના કોન્ટ્રાકટના કર્મચારીનુ કરંટ લાગવાના કારણે ગઈકાલે, બુધવારે મોત થયું હતું.

આ બનાવ બાદ મૃતકના પરિવારજનોએ ન્યાયની માગ સાથે બુધવારથી ગોત્રી ખાતે આવેલી વીજ કંપનીની ઓફિસ પર ધરણા શરુ કર્યા છે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે.બપોરથી શરુ થયેલા ધરણા સાંજે પણ ચાલુ રહ્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0