અમદાવાદ, મહીસાગર, સાબરકાંઠા બાદ હવે પાદરામાં સ્કૂલના વિદ્યાર્થીઓનો આતંક, બેંચ પરથી હટવાનું કહેતા હુમલો કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવદમાં વિદ્યાર્થી પર હુમલો કરી હત્યાની ચકચારી ઘટના સામે આવી છે. જે બાદ રાજ્યમાં આજે બે જિલ્લામાં વિદ્યાર્થીએ મારામારીની ઘટના સામે આવી છે. પાદરામાં બેચ પરથી હટવાનું કહેતા વિદ્યાર્થીએ જ વિદ્યાર્થી હુમલો કર્યો હતો. બીજી તરફ સાબરકાંઠાના વડાલીમાં પણ સ્કૂલમાં બે વિદ્યાર્થીઓ વચ્ચેની મારામારીની ઘટના સામે આવી છે. જે બાદ સ્કૂલમાં લોકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો છે.
પાદરામાં વિદ્યાર્થી પર હુમલો
વડોદરાના પાદરામાં વિદ્યાર્થી પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. પાદરાની સ્કૂલમાં ધોરણ 7ના વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીએ જ વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો. વિદ્યાર્થીને આંખ નીચે નખ વાગતા ઇજાગ્રસ્ત થયો છે. બેચ પરથી હટવાનું કહેતા વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના આક્ષેપ કર્યો કે હુમલો કરનાર વિદ્યાર્થી પાસે ચાકુ હતું.
વડાલીમાં સ્કૂલમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી
અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા કર્યાની શાહી સુકાઈ નથી ત્યાં સાબરકાંઠાના વડાલીમાં પણ સ્કૂલમાં બે વિદ્યાર્થીઓ વચ્ચેની મારામારીની ઘટના સામે આવી છે. આ ઘટના હવે આંદોલનનું સ્વરૂપ લઈ રહ્યું છે, વડાલીમાં ઉચ્ચતર પ્રાથમિકમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને તેમની જ સ્કૂલના ચાર વિદ્યાર્થીઓએ મારમાર્યા ના પગલે સ્થાનિક કક્ષાએ ભારે વિરોધાભાસ સર્જાયો છે. સાથોસાથ વાલીઓ, સમાજ સહિત હિન્દુ સંગઠનોએ શાળામાં વિરોધ નોંધાયો છે.
બાલાસિનોર વિદ્યાર્થી પર હુમલો
બાલાસિનોર શહેરમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને એક અત્યંત ગંભીર અને ચિંતાજનક ઘટના સામે આવી છે. અહીં શાળા છૂટ્યા બાદ ધોરણ 8માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પર છરીથી હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ ફેલાયો હતો. આ ઘટના બાલાસિનોર નગરના તળાવ દરવાજા પાસે બની હતી. શાળા છૂટ્યા બાદ કેટલાક વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો.
What's Your Reaction?






