અમદાવાદીઓ માટે મોટા સમાચાર: સાબરમતીથી ઉપડતી આ 3 ટ્રેન હવે ગાંધીગ્રામ સ્ટેશનેથી દોડશે

Jun 21, 2026 - 20:30
અમદાવાદીઓ માટે મોટા સમાચાર: સાબરમતીથી ઉપડતી આ 3 ટ્રેન હવે ગાંધીગ્રામ સ્ટેશનેથી દોડશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Railway Board Shifts Three Express Trains : અમદાવાદના ગાંધીગ્રામ રેલવે સ્ટેશનની કનેક્ટિવિટીને મોટો વેગ આપતા, રેલવે બોર્ડે 3 જોડી એક્સપ્રેસ ટ્રેનોના ટર્મિનલ પોઇન્ટને સાબરમતી રેલવે સ્ટેશનથી ગાંધીગ્રામ રેલવે સ્ટેશન પર શિફ્ટ કરવાની મંજૂરી આપી દીધી છે. આ ટ્રેનો હવે ગાંધીગ્રામથી ઉપડશે અને ત્યાં જ આવીને મુસાફરી પૂર્ણ કરશે, તેમજ આ ટ્રેનો રસ્તામાં ચાંદખેડા રોડ સ્ટેશન પર પણ ઉભી રહેશે.

રેલવે બોર્ડ દ્વારા 19 જૂન, 2026ના રોજ બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર, 14821/14822 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ, 12547/12548 આગ્રા કેન્ટ-સાબરમતી એક્સપ્રેસ અને 22547/22548 ગ્વાલિયર-સાબરમતી એક્સપ્રેસનું ટર્મિનલ સાબરમતીથી બદલીને ગાંધીગ્રામ કરવામાં આવશે. પશ્ચિમ રેલવેને યોગ્ય તારીખથી આ ફેરફાર લાગુ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0