સુરતમાં વરસાદી પાણીના ભરાવા માટે પાલિકા સાથે લોકો પણ જવાબદાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં સોમવારે પડેલા વરસાદી પાણી અનેક જગ્યાએ 40 કલાક બાદ માંડ ઉતર્યા હતા. સુરતમાં સૌથી સફળ વરસાદી ગટરની સુવિધા છે તેમ છતાં આ પાણી ભરાવાના કારણ પાછળ પાલિકા તંત્ર સાથે સાથે સુરતીઓ પણ જવાબદાર છે. સુરતમાં પ્લાસ્ટિક નો ઉપયોગ બેફામ થઈ રહ્યો છે અને તેનો યોગ્ય નિકાલ પણ થતો ન હોવાથી સુરતમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. વરસાદી પાણી ભરાયા બાદ પાલિકા સ્ટ્રોમ ડ્રેનેજના ઢાંકણા આસપાસ સફાઈ કરે છે પરંતુ કચરાનો ઢગલો તરત ઉપાડી નથી લેવાતો હોવાથી ફરી ઢાંકણા પર આવી જતા સમસ્યા યથાવત જોવા મળી રહી છે. આ ઉપરાંત સુરતીઓ પણ આડેધડ જાહેરમા પ્લાસ્ટિક નો નિકાલ કરે છે તે પણ સ્ટ્રોમ ડ્રેઈનના ઢાંકણા પર જમા થઈ રહ્યો છે.
What's Your Reaction?






