સુરતમાં ખાડીના અવરોધરૂપ દબાણ દુર કરવાની કામગીરી સતત ત્રીજા દિવસે પણ યથાવત : વાલમ નગર ખાતે લો લેવલ બ્રિજ દુર કરાયો

Jul 15, 2025 - 18:30
સુરતમાં ખાડીના અવરોધરૂપ દબાણ દુર કરવાની કામગીરી સતત ત્રીજા દિવસે પણ યથાવત : વાલમ નગર ખાતે લો લેવલ બ્રિજ દુર કરાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Surat : દર વર્ષે ચોમાસામાં સુરત માટે આફત બની ગયેલી ખાડીના પુલ અટકાવવા માટે કમિટી બન્યા બાદ છેલ્લા ત્રણ દિવસથી પાલિકા તંત્ર દ્વારા ખાડીના વહેણને અવરોધ રૂપ દબાણ દૂર કરવામા આવી રહ્યાં છે. આજે ત્રીજા દિવસે પાલિકાના અઠવા ઝોનમાં ત્રણ જગ્યાએ જ્યારે વરાછા બી ઝોનમાં બે જગ્યાએ દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે વાલમનગર ખાતે લો લેવલ બ્રિજ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

સુરતને ખાડી પૂરથી બચાવવા માટેની કામગીરી માટે હાઈલેવલ કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીના અધ્યક્ષ તરીકે પાલિકા કમિશનર શાલિની અગ્રવાલની નિમણૂક થયાં બાદ છેલ્લા ત્રણ દિવસથી ખાડીના પાણીને અવરોધતા દબાણ દુર કરવાની કામગીરી આક્રમક બની રહી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0