સુરતમાં ખાડી કિનારે આવેલા સહજાનંદ વિસ્તારના 18 થી વધુ મિલકતોનું ડિમોલીશન

Aug 5, 2025 - 17:00
સુરતમાં ખાડી કિનારે આવેલા સહજાનંદ વિસ્તારના 18 થી વધુ મિલકતોનું ડિમોલીશન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Surat Corporation : સુરતમાં ખાડી પૂર રોકવા માટે હાઈલેવલ કમિટીની રચના બાદ ખાડી કિનારાના ગેરકાયદે દબાણ દૂર કરવા માટેની કામગીરી ઝડપી બની છે. થોડા દિવસ પહેલાં કોયલી ખાડી કિનારે આવેલા જવાહર નગરના ગેરકાયદે બિલ્ડીંગના ડિમોલીશન બાદ આજે સહજાનંદ વિસ્તારમાં ગેરકાયદે દબાણ દુર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. શરૂઆતમાં ડિમોલીશનનો વિરોધ કરવામાં આવ્યો હતો પરંતુ એક બાદ એક ડિમોલીશન થતાં ગેરકાયદે બાંધકામ કરનારાએ સમર્થન કરતા પાલિકાની કામગીરી સરળ બની છે. 

સુરતમાં ખાડી પૂર રોકવા માટે હાઈલેવલ કમિટી બન્યા બાદ પાલિકા અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો વચ્ચે સંકલન શક્ય બન્યું છે. આ ઉપરાંત કમિટીના અધ્યક્ષ તરીકે પાલિકા કમિશનર શાલિની અગ્રવાલની નિમણુંક બાદ ખાડી પૂર માટે જવાબદાર ખાડી કિનારાના દબાણ દુર કરવાની કામગીરી સરળ બની છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0