સુરતના મુગલીસરા વિસ્તારનું નામ તાપીપુરા કરાયું, મુખ્ય કચેરી શ્રી તાપી ભવન નામે ઓળખાશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Surat News : સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શહેરના ઐતિહાસિક મુગલીસરા વિસ્તાર અને પાલિકાના મુખ્ય બિલ્ડિંગના નામકરણનો પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે. ભાજપ અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ મુગલીસરાને હવે 'શ્રી તાપીપુરા' તરીકે ઓળખવાની મંજૂરી આપી છે, પરંતુ આ નિર્ણય સામે કોંગ્રેસે આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરે આ નામકરણને ઉતાવળિયું અને માત્ર રાજકીય લાભ ખાટવાનું પગલું ગણાવ્યું છે.
1995થી શાસન હોવા છતાં અત્યારે જ કેમ યાદ આવ્યા માં તાપી?
કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ શાસક પક્ષ ભાજપ પર નિશાન સાધતા સવાલ કર્યો છે કે, સુરત પાલિકામાં 1995થી ભાજપનું શાસન છે, તો છેક 2026માં તેમને માં તાપી કેમ યાદ આવ્યા? તેમણે આક્ષેપ કર્યો કે, જ્યારે આગામી થોડા વર્ષોમાં પાલિકાની મુખ્ય કચેરી ખટોદરા ખાતે નવનિર્મિત 27 માળના બિલ્ડિંગમાં સ્થળાંતર થવાની છે, ત્યારે અત્યારે જૂની કચેરીનું નામ 'શ્રી તાપી ભવન' રાખવું એ માત્ર જનતાને ગેરમાર્ગે દોરવાનો સ્ટંટ છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

