સુરત પાલિકાના ફૂડ વિભાગે દશેરા પહેલા ફરસાણની દુકાનોમાંથી ફાફડા-જલેબીના સેમ્પલ લઇ લેબોરેટરીમાં મોકલાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Surat Corporation : સુરત સહિત સમગ્ર ગુજરાતમાં દશેરાના દિવસે કરોડો રૂપિયાના ફાફડા અને જલેબીનું વેચાણ થાય છે. આ ફાફડા જલેબી લોકોના આરોગ્ય માટે સુરક્ષિત છે કે નહીં તે જાણવા માટે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ફાફડા-જલેબીના સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરી છે. સુરત પાલિકાના ફુડ વિભાગની ટીમે શહેરના જુદા જુદા વિસ્તારમાં ફરસાણું વેચાણ કરતી દુકાનોમાં ચકાસણી કરી અને ફાફડા જલેબીના સેમ્પલ લીધા છે અને ચકાશણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.
ખાણીપીણીના શોખીન સુરતીઓ દશેરાના દિવસે કરોડો રૂપિયાના ફાફડા-જલેબી ઝાપટી જતા હોય છે. આ દિવસે ફાફડા અને જલેબીને વેચાણમાં ભારે ઉછાળો આવે છે.
What's Your Reaction?






