સંસ્કારી નગરી શર્મસાર, વડોદરામાં વધુ એક વિધર્મીએ સગીરાને પીંખી, પોલીસે કરી ધરપકડ

વડોદરામાં બહેન દીકરીઓની આબરૂ લૂંટવામાં અપરાધિઓને જાણે કાયદા અને પોલીસનો ડર જ ન રહ્યો હોય તેમ એક જ સપ્તાહ માં બે સગીરા દુષ્કર્મ નો શિકાર બની છે. 4 ઓક્ટોબર ના રોજ ભાયલી વિસ્તાર ના અવાવરું સ્થળે 3 પર પ્રાંતીય વિધર્મીઓએ 16 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. જેને લઈને ચકચાર મચી હતી અને આરોપીઓને ઝડપી પાડી હજુ તો કાયદેસર રીતે પોલીસ તપાસ કરી રહી છે હજુ ચાર્જશીટ પણ ફાઇલ થઈ નથી તેવા માં 5માં જ દિવસે બીજા એક વિધર્મીએ 12 સાયન્સમાં ભણતી 17 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ છે.વિધર્મી યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી કર્યો રેપ માંજલપુર પોલીસ મથકના હદની માંજલપુર વિસ્તાર માં રહેતી સગીરા 12 સાયન્સમાં અભ્યાસ કરે છે. થોડા મહિનાઓ અગાઉ સગીરા ઇન્સ્ટાગ્રામ મારફતે 22 વર્ષીય વાજીદશા દીવાન ના સંપર્કમાં આવી હતી. વાજીદે માસૂમ સગીરા ને પ્રેમ જાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આરોપી વાજીદની કરી ધરપકડ વાજીદ સગીરા ને પ્રેમજાળ માં ફસાવી પ્રેમના પાઠ ભણાવી તેને અલગ અલગ સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચરતો હતો અને સગીરા તેની વાતો માં આવતી રહી. વાજીદની માંગણીઓ અને અધિકાર જતાવવાની તીવ્રતા વધતા સગીરા પારેવા ની જેમ ફફડતા વાજીદની હિંમત વધી અને હવે તે સગીરા સાથે જાહેરમાં ફરવા, ગરબા રમવા અને ફોટા પાડી સોશ્યલ મીડિયા પર મુકવા ધમકી આપવા લાગ્યો. સગીરાના ભાઈ ને પણ ધમકી આપતો કે તેની બહેન 18 વર્ષની થશે એટલે ભગાડી જશે. આખરે સગીરાએ સમગ્ર કેફિયત પરિવાર ને કહેતા માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ. જોકે આખરે હિંમત કરી સગીરા ની માતાએ ફરિયાદ નોંધાવતા આખરે માંજલપુર પોલીસે વાજીદની ધરપકડ કરી. મહત્વનું છે કે સંસ્કારી નગરી દુષ્કર્મ નગરી બને તે પહેલાં સગીરાઓ, યુવતીઓ, મહિલાઓ કે માતા-પિતા તમામે જાગૃત અને સાવધ થઈ જવાની જરૂર છે કારણ કે શેતાનો માણસનું જ રૂપ લઈ આપણા વચ્ચે જ રહી રહ્યા છે.

સંસ્કારી નગરી શર્મસાર, વડોદરામાં વધુ એક વિધર્મીએ સગીરાને પીંખી, પોલીસે કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરામાં બહેન દીકરીઓની આબરૂ લૂંટવામાં અપરાધિઓને જાણે કાયદા અને પોલીસનો ડર જ ન રહ્યો હોય તેમ એક જ સપ્તાહ માં બે સગીરા દુષ્કર્મ નો શિકાર બની છે. 4 ઓક્ટોબર ના રોજ ભાયલી વિસ્તાર ના અવાવરું સ્થળે 3 પર પ્રાંતીય વિધર્મીઓએ 16 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. જેને લઈને ચકચાર મચી હતી અને આરોપીઓને ઝડપી પાડી હજુ તો કાયદેસર રીતે પોલીસ તપાસ કરી રહી છે હજુ ચાર્જશીટ પણ ફાઇલ થઈ નથી તેવા માં 5માં જ દિવસે બીજા એક વિધર્મીએ 12 સાયન્સમાં ભણતી 17 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ છે.

વિધર્મી યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી કર્યો રેપ

માંજલપુર પોલીસ મથકના હદની માંજલપુર વિસ્તાર માં રહેતી સગીરા 12 સાયન્સમાં અભ્યાસ કરે છે. થોડા મહિનાઓ અગાઉ સગીરા ઇન્સ્ટાગ્રામ મારફતે 22 વર્ષીય વાજીદશા દીવાન ના સંપર્કમાં આવી હતી. વાજીદે માસૂમ સગીરા ને પ્રેમ જાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.

પોલીસે આરોપી વાજીદની કરી ધરપકડ

વાજીદ સગીરા ને પ્રેમજાળ માં ફસાવી પ્રેમના પાઠ ભણાવી તેને અલગ અલગ સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચરતો હતો અને સગીરા તેની વાતો માં આવતી રહી. વાજીદની માંગણીઓ અને અધિકાર જતાવવાની તીવ્રતા વધતા સગીરા પારેવા ની જેમ ફફડતા વાજીદની હિંમત વધી અને હવે તે સગીરા સાથે જાહેરમાં ફરવા, ગરબા રમવા અને ફોટા પાડી સોશ્યલ મીડિયા પર મુકવા ધમકી આપવા લાગ્યો. સગીરાના ભાઈ ને પણ ધમકી આપતો કે તેની બહેન 18 વર્ષની થશે એટલે ભગાડી જશે. આખરે સગીરાએ સમગ્ર કેફિયત પરિવાર ને કહેતા માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ. જોકે આખરે હિંમત કરી સગીરા ની માતાએ ફરિયાદ નોંધાવતા આખરે માંજલપુર પોલીસે વાજીદની ધરપકડ કરી.

મહત્વનું છે કે સંસ્કારી નગરી દુષ્કર્મ નગરી બને તે પહેલાં સગીરાઓ, યુવતીઓ, મહિલાઓ કે માતા-પિતા તમામે જાગૃત અને સાવધ થઈ જવાની જરૂર છે કારણ કે શેતાનો માણસનું જ રૂપ લઈ આપણા વચ્ચે જ રહી રહ્યા છે.