શ્રાવણના પહેલા સોમવારે હર હર મહાદેવના ઘોષથી ગુંજ્યું સુરત : શિવ ભક્તોનું ઘોડાપુર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Surat : શ્રાવણ માસની શરૂઆત સાથે જ સુરતીઓ વધુ ધાર્મિક બની રહ્યાં છે અને શ્રાવણ માસના પહેલા સોમવારે સુરત શહેર અને જિલ્લાના શિવ મંદિરોમાં શિવ ભક્તોનું ઘોડાપુર આવી ગયું હતું. શ્રાવણના પહેલા સોમવારે વહેલી સવારથી જ શિવ મંદિરમાં શિવ મંદિરોમાં ભક્તોની લાંબી લાઈન લાગી ગઈ હતી અને વહેલી સવારથી મંદિરમાં વિવિધ પૂજા કરવામાં આવી હતી શિવભક્તોએ ભક્તિભાવથી શિવજીને દુધ સાથે અન્ય સામગ્રીનો અભિષેક કર્યો હતો.
શ્રાવણ મહિનાની શરૂઆત સાથે જ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શિવ મંદિરો શ્રદ્ધાળુઓના આસ્થાનું પ્રતિક બની જાય છે. આમ તો પૂરો શ્રાવણ મહિનામાં સુરતીઓ વધુ શ્રદ્ધાળુ બની જાય છે અને પ્રતિ રોજ વિવિધ મંદિરે જતા હોય છે. પરંતુ શ્રાવણ મહિનાના પ્રત્યેક સોમવારે શહેર અને જિલ્લાના શિવ મંદિરોમાં શિવ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.
What's Your Reaction?






