શિક્ષણ મંત્રીએ સુરતની જે શાળાનું ઉદ્ઘાટન કર્યું એમાં જ કૌભાંડ, એક ગાર્ડ મૂકી ત્રણનો પગાર લીધાનો દાવો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Surat News: નવ મહિના પહેલાં રાજ્ય સરકારના શિક્ષણ મંત્રીએ જે શાળા લોકાર્પણ કરી હતી તે જ શાળામાં સિક્યુરિટી કૌભાંડ બહાર આવ્યું છે. સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કઠોદરાની શાળામાં સિક્યુરિટી કૌભાંડ બહાર આવ્યા બાદ ઇનચાર્જ શાસનાધિકારીએ પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. જો કે, આ સમગ્ર કિસ્સામાં ઇનચાર્જ આચાર્ય ભૂમિકા પણ શંકાના દાયરામાં છે. જો કે, સમિતિએ પોલીસ ફરિયાદમાં આચાર્યનું નામ લખાવ્યું નથી. પરંતુ સમિતિના તમામ ભવનમાં એક જ એજન્સી સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ હોવાથી અન્ય શાળામાં પણ કૌભાંડ થયું હોવાની આશંકા છે. જેના કારણે અન્ય શાળામાં કૌભાંડ છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે તેવી વાત સમિતિ અધ્યક્ષે કરી છે.
What's Your Reaction?






