શહેરના અનેક માર્ગો ખખડધજ બનતા લોકો પરેશાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હાલ ગણેશોત્સવ પર્વે શહેરમાં ઠેર ઠેર શ્રીજીની આગમન યાત્રાઓ નીકળી રહી છે. ત્યારે ભક્તોને માર્ગ ઉપરના ખાડાથી પ્રતિમાને નુકસાન થવાનો તથા વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.
શહેરમાં સામાન્ય વરસાદમાં અનેક સ્થળોએ રસ્તાઓનું ધોવાણ થતાં ખાડાઓથી ત્રસ્ત જનતા કોર્પોરેશનની કામગીરી સામે નારાજગી દર્શાવી રહી છે. છાણી ગામમાં દુમાડ તરફ જતો માર્ગ ખખડધજ બનતા લોકો પરેશાન છે. માર્ગ ઉબડખાબડ થઈ જતા વાહનો પછડાઈ રહ્યા છે. વરસાદ વરસતા રાત્રિના સમયે પાણી ભરેલા ખાડા નજરે ન ચડતા નાના મોટા અકસ્માત સર્જાય છે. જ્યારે ફતેગંજ મુખ્ય માર્ગ ઉપર ખાડાથી ત્રસ્ત વાહન ચાલકનું કહેવું હતું કે, જ્યાં સુધી કોઈનો ભોગ ન લેવાય ત્યાં સુધી તંત્રની આંખો નહીં ખુલે.
What's Your Reaction?






