વેપારીેએ બચત મંડળીના રૂ.૩૦ લાખ લઇને પરત નહી આપ્યાની ફરિયાદ

Jun 9, 2025 - 03:00
વેપારીેએ બચત મંડળીના રૂ.૩૦ લાખ લઇને પરત નહી આપ્યાની ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,શનિવાર

ગાંધીનગરના કોબામાં રહેતા એક વેપારીએ તેના અન્ય વેપારી મિત્રો સાથે બચત મડંળીમાંથી ૩૦ લાખની રકમ લીધા બાદ નાણાં જમા નહી કરાવીને છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ અંગે નરોડા પોલીસે તપાસ શરૂ કરી છે.  નવા નરોડા ૧૦૮ કોલ સેન્ટર પાસે આવેલા અનંતા સ્કેવર ખાતે રહેતા નયનભાઇ ધીનોજોએ નરોડા પોલીસ મથકે  ફરિયાદ નોંધાવી છે કે તેમણે ૧૨ સભ્યોની બચત મંડળી શરૂ કરી હતી.  આ સભ્યોમાં કોબા કે રાહેજા રોડ પર આવેલા સમય એલીગન્સ એપાર્ટમેન્ટમાં રહેતા  કૌશલ પટેલનો પણ સમાવેશ થતો હતો. આ બચત મંડળીમાં  નિયત કરેલી રકમ દર મહિને જમા કરાવીને વેપારીને ડે કે કુલ રકમ પર બે ટકા વ્યાજ લઇને કુલ  રકમ આપવાનો નિયમ હતો. જે અનુસંધાનમાં કૌશલ પટેલે ૩૦ લાખ રૂપિયા લીધા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0