વિશ્વ પ્રસિધ્ધ તરણેતરના મેળામાં પશુ પ્રદર્શન હરીફાઈ યોજાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સ્પર્ધામાં વિજેતા પશુના માલિકને પુરસ્કૃત કરાશે
ગીર, કાંકરેજ ગાય વર્ગ અને જાફરાબાદી-બન્ની ભેંસ વર્ગના લક્ષણો ધરાવતા જાતવાન પશુઓની પસંદગી બાદ ભાગ લઈ શકશે
સુરેન્દ્રનગર - થાન તાલુકાના તરણેતર ગામમાં ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો વિશ્વમાં પ્રસિધ્ધ ભાતીગળ લોકમેળો આજે પણ ગુજરાતી લોકસંસ્કૃતિને ઉજાગર કરે છે ત્યારે આગામી દિવસોમાં યોજાનાર લોકમેળામાં પશુપાલન ખાતા અને પશુપાલન શાખા, જીલ્લા પંચાયત દ્વારા આગામી તા.૨૬ થી ૨૮ ઓગષ્ટ સુધી દરરોજ પશુ પ્રદર્શન હરિફાઈનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ગીર, કાંકરેજ ગાય વર્ગ અને જાફરાબાદી-બન્ની ભેંસ વર્ગના લક્ષણો ધરાવતા જાતવાન પશુઓને પશુચિકિત્સા અધિકારી દ્વારા ગુણવત્તાને આધારે પસંદ કરી હરીફાઈમાં ભાગ લઈ શકશે.
What's Your Reaction?






