વરાછાની 38 વર્ષીય મહિલા, મગદલ્લાના 45 વર્ષીય આધેડનું એકાએક મોત

- મહિલાને છાતીમાં દુઃખાવો થયા બાદ અને આધેડને ચક્કર આવ્યા બાદ તબિયત લથડતા દમ તોડયો સુરત,:સુરત શહેરમાં ઘણા સમયથી અચાનક બેભાન થવા અને છાતીમાં દુઃખાવો થયા બાદ મોતના બનાવો યથાવત રહેવા પામ્યા હતા.  તેવા સમયે  વરાછાની ૩૮ વર્ષીય મહિલાને છાતીમાં દુઃખાવો થયા બાદ અને મગદલ્લામાં ચક્કર આવ્યા પછી ૪૫ વર્ષીય આધેડની તબિયત બગડતા બેભાન થયા બાદ મોત નીપજ્યું હતું.  સિવિલ અને સ્મીમેરથી મળેલી વિગત મુજબ વરાછામાં કમલપાર્ક સોસાયટીમાં રહેતી ૩૮ વર્ષીય રૃપલ અશોક સોલંકી આજે સવારે ઘરમાં અચાનક છાતીમાં દુઃખાવો ઉપડયો હતો. બાદમાં તે ઢળી પડતા બેભાન થઇ જતા સારવાર માટે ૧૦૮માં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. જયારે રૃપલ મુળ અમરેલીમાં સાંવરકુડલાની વતની હતી. તેને સંતાનમાં બે પુત્ર છે. તેના પતિ દરજી કામ કરે છે. બીજા બનાવમાં મગદલ્લામાં રાહુલ રાજ મોલ પાછળ ઇબ્લ્યુએસ આવાસ સુમન મલ્હારમાં રહેતો ૪૫ વર્ષીય કિરીટ લાલસીંગ ઝાલા આજે સવારે ફેલેટની બાજુમાં લીફટ સામે અચાનક ચક્કર આવતા બાદ માટે બેભાન થઈ ગયો હતો. જેથી તેને સારવાર માટે તરત ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. જયારે કિરીટને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તે રીક્ષા ચલાવતો હતો.

વરાછાની 38 વર્ષીય મહિલા, મગદલ્લાના 45 વર્ષીય આધેડનું એકાએક મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- મહિલાને છાતીમાં દુઃખાવો થયા બાદ અને આધેડને ચક્કર આવ્યા બાદ તબિયત લથડતા દમ તોડયો

 સુરત,:

સુરત શહેરમાં ઘણા સમયથી અચાનક બેભાન થવા અને છાતીમાં દુઃખાવો થયા બાદ મોતના બનાવો યથાવત રહેવા પામ્યા હતા.  તેવા સમયે  વરાછાની ૩૮ વર્ષીય મહિલાને છાતીમાં દુઃખાવો થયા બાદ અને મગદલ્લામાં ચક્કર આવ્યા પછી ૪૫ વર્ષીય આધેડની તબિયત બગડતા બેભાન થયા બાદ મોત નીપજ્યું હતું.

  સિવિલ અને સ્મીમેરથી મળેલી વિગત મુજબ વરાછામાં કમલપાર્ક સોસાયટીમાં રહેતી ૩૮ વર્ષીય રૃપલ અશોક સોલંકી આજે સવારે ઘરમાં અચાનક છાતીમાં દુઃખાવો ઉપડયો હતો. બાદમાં તે ઢળી પડતા બેભાન થઇ જતા સારવાર માટે ૧૦૮માં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. જયારે રૃપલ મુળ અમરેલીમાં સાંવરકુડલાની વતની હતી. તેને સંતાનમાં બે પુત્ર છે. તેના પતિ દરજી કામ કરે છે. બીજા બનાવમાં મગદલ્લામાં રાહુલ રાજ મોલ પાછળ ઇબ્લ્યુએસ આવાસ સુમન મલ્હારમાં રહેતો ૪૫ વર્ષીય કિરીટ લાલસીંગ ઝાલા આજે સવારે ફેલેટની બાજુમાં લીફટ સામે અચાનક ચક્કર આવતા બાદ માટે બેભાન થઈ ગયો હતો. જેથી તેને સારવાર માટે તરત ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. જયારે કિરીટને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તે રીક્ષા ચલાવતો હતો.