વડોદરામાં આજે સાંજે દિવ્યાંગ ગરબા મહોત્સવ : ગુજરાતભરના 4000થી વધુ દિવ્યાંગ ખેલૈયાઓ ગરબા રમશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara : નવરાત્રી મહોત્સવની પૂર્ણાહુતિ બાદ વડોદરામાં આજે દિવ્યાંગ ગરબા મહોત્સવ યોજાશે. સાંજે 7થી રાત્રિના 10.30 સુધી સુભાનપુરા વિસ્તારમાં શિશુ ગરબા ગ્રાઉન્ડ, ઝાંસીની રાણી મેદાન ખાતે દિવ્યાંગ ગરબા મહોત્સવમાં 4000થી વધુ દિવ્યાંગ ખેલૈયા ગરબાની રમઝટ બોલાવશે. કચ્છ, સુરત, ભરૂચ, અમદાવાદ, ભાવનગર, રાજકોટ ,મુંબઈ તેમજ વડોદરા જિલ્લાના પાદરા સહિતના ગામો અને સ્થાનિક દિવ્યાંગ ખેલૈયા આ ગરબા મહોત્સવમાં ઉત્સાહભેર ભાગ લેવાના છે. ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી આટલી મોટી સંખ્યામાં માત્ર દિવ્યાંગો માટેનો નિશુલ્ક ગરબા મહોત્સવ ક્યાંય યોજાતો નથી, તેમ ગરબા આયોજક શ્રી સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટનું કહેવું છે.
What's Your Reaction?






