વડોદરાના વાઘોડિયા રોડ પર રીંકલ એન્ટરપ્રાઇઝના સંચાલક દ્વારા ઝેરી કેમિકલ સળગાવી નાશ કરવાના મુદ્દે રહીશોનો હોબાળો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara : વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારના ગોડાઉનમાં રાત્રે સળગાવવામાં આવતા કેમિકલની દુર્ગંધથી આસપાસની સોસાયટીઓના લોકોને શ્વાસ રૂંધાવા સહિત શ્વાસ લેવામાં ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા 60 દિવસથી ચાલતી આ રોજિંદી કાર્યવાહી અંગે પાલિકા સત્તાધીશોને જાણ કરવા છતાં કોઈ ચોક્કસ પગલાં ભરવામાં આવતા નથી.
ઉલ્લેખનીય છે કે વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલા રીંકલ એન્ટરપ્રાઇઝના માલિક દ્વારા ગોડાઉનમાં રાત્રે દસેક વાગ્યાના સુમારે કેમિકલ સ્ક્રેપ સળગાવવામાં આવે છે.
સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો હતો કે નંદેસરી જીઆઇડીસીમાંથી આવતા આ કેમિકલના કચરાને રાત્રે 10 વાગ્યાથી સવારે ચાર વાગ્યા સુધી સળગાવવામાં આવે છે પરિણામે તેના દુર્ગંધ ભર્યા ધુમાડાથી આસપાસની અનેક સોસાયટીના લોકોને શ્વાસ લેવામાં ભારે તકલીફનો સામનો કરવો પડે છે.
What's Your Reaction?






