વડોદરા: વર્ષો બાદ આજવા સરોવરમાં જૂન મહિનામાં જ પાણીની સપાટી 211 ફૂટ થી થોડી છેટે રહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાના ઐતિહાસિક આજવા સરોવરમાં ઘણા વર્ષો બાદ જૂન મહિનામાં જ પાણીની સપાટી 210.50 ફૂટ વટાવી ગઈ હોય તેવું જોવા મળ્યું છે. જૂન મહિનામાં ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં જ આજવાના ઉપરવાસ માં ભારે વરસાદ થવાના કારણે આવા સંજોગો ઊભા થયા છે. હાલ આજવા સરોવરના 62 દરવાજાનું લેવલ 211 ફૂટે સેટ કરી રાખ્યું છે, એટલે કે 15 ઓગસ્ટ સુધી આજવામાં 211 ફૂટથી વધુ પાણી સરકારની માર્ગદર્શિકા મુજબ ભરી શકાશે નહીં. 211 ફૂટથી જેટલું પણ પાણી વધારે ભરાશે તે ગેટમાંથી બહાર વિશ્વામિત્રી તરફ નીકળી જશે.
What's Your Reaction?






