વડોદરા રેલવે વિભાગમાં યોજાનાર રોજગાર મેળામાં 85 ઉમેદવારોને નિમણૂક પત્ર અપાશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara Railway Department : વડોદરા રેલવે વિભાગ ખાતે આવતીકાલે 23 મે, 2026ના રોજ પ્રધાનમંત્રી રોજગાર મેળા અંતર્ગત રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે દેશવ્યાપી 19મા રોજગાર મેળાનો શુભારંભ કરશે. આ દરમિયાન દેશભરના 51 હજારથી વધુ નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્રો એનાયત કરાશે.
દેશભરના 47 સ્થળોએ યોજાનારા આ રોજગાર મેળા અંતર્ગત કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં ભરતી કરાયેલા ઉમેદવારોને નિમણૂક પત્રો આપવામાં આવશે. નવા કર્મચારીઓની નિમણૂક રેલવે મંત્રાલય, સંચાર મંત્રાલયના ડાક વિભાગ, રક્ષા મંત્રાલય, નાણાં મંત્રાલય સહિત વિવિધ વિભાગોમાં કરવામાં આવી રહી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

