રાજપીપળા કોર્ટમાં વકીલોને પ્રવેશ ન આપવાનો વિવાદ, પોલીસ અધિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરવા એડવોકેટ જનરલને પત્ર લખાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Narmada News : નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે કોર્ટરૂમમાં વકીલોને પ્રવેશતા અટકાવવા બદલ મોટો વિવાદ ઊભો થયો છે. આ મામલે હાઈકોર્ટના વકીલ અને લીગલ સેલના નેતા પુનીત જુનેજાએ એડવોકેટ જનરલને પત્ર લખીને નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક (SP) વિરુદ્ધ ફોજદારી અવમાનનાની કાર્યવાહી શરૂ કરવાની માગ કરી છે. જુનેજાએ જણાવ્યું કે, પોલીસે કોર્ટ પરિસરને બંધ કરી દીધું હતું અને વકીલોને તેમના મુવક્કિલ માટે દલીલ કરવા કોર્ટમાં પ્રવેશતા અટકાવ્યા હતા, જે એડવોકેટ એક્ટનો ખુલ્લો ભંગ છે.
પોલીસ કાર્યવાહી સામે ગંભીર આક્ષેપો
વકીલ પુનીત જુનેજાના જણાવ્યા અનુસાર, ગઈકાલે રાજપીપળા કોર્ટમાં વકીલ ગોપાલ ઈટાલિયા અને વકીલ આકાશ મોદીને પોલીસ દ્વારા કોર્ટરૂમમાં પ્રવેશતા રોકવામાં આવ્યા હતા.
What's Your Reaction?






