રાજકોટના સોની બજારની ઈમારતમાં ભડાકા બાદ ભીષણ આગ, એક કારીગરનું મોત

Oct 14, 2025 - 13:30
રાજકોટના સોની બજારની ઈમારતમાં ભડાકા બાદ ભીષણ આગ, એક કારીગરનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Rajkot Fire: રાજકોટના સોની બજાર વિસ્તારમાં આવેલ શ્રીહરી કોમ્પ્લેક્ષના પાંચમાં માળે મોડી રાતે ભીષણ આગ લાગી હતી. સોના-ચાંદીના ઘરેણાંની બફિંગ અને પોલિશિંગની કામગીરી ચાલતી હતી તે દરમિયાન અચાનક આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની 5 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટર્સે લગભગ ચાર કલાકથી વધુની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવ્યો હતો. જોકે, આ દુર્ઘટનામાં એક કારીગરનું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય એક કારીગર ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0