રસ્તાની હાલત સુધારો નહીંતર મોઢા કાળા કરી નાખીશું, જામજોધપુરમાં પ્રજા ગુસ્સે, પોલીસ સાથે ચકમક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Jamnagar News : સમગ્ર સૌરાષ્ટ્રમાં નબળા માર્ગો વરસાદને લીધે ભંગાર થઈ ગયા છે. નબળા રોડમાં ઠેક ઠેકાણે ગાબડા પડયા હોવાથી વાહન ચાલકોને સતત અકસ્માતની ભીતિ રહે છે. દરમિયાન જામજોધપુર તાલુકામાં ઈશ્વરિયાથી જામંજોધપુર સુધી 16 કિ.મી.ની સડક સુધારવા પદયાત્રા યોજી ભંગાર રસ્તાના પ્રશ્ને ધારાસભ્ય સહિતના ગ્રામજનો દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. તેમજ જામજોધપુર મામલતદાર કચેરીને તાળાબંધીનો પ્રયાસ કરવામાં આવતાં આ સમયે પોલીસ સાથે ઘર્ષણ થતા ધારાસભ્ય હેમંત ખવા સહિત 20 કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
What's Your Reaction?






