યુવકની હત્યા કેસમાં ફરિયાદીએ ફાયરીંગ કરીને મારી નાખવાની ધમકી અપાઇ

અમદાવાદ, ગુરૂવારશહેરના મિરઝાપુર વિસ્તારમાં એક વર્ષ પહેલા એક યુવક પર પિતા અને તેના ત્રણ પુત્રોએ સાથે મળીને જીવલેણ હુમલો કરીને છરીને ૪૦થી વધારે ઘા ઝીંકીને  હત્યા કરી હતી. આ  હત્યા કેસ મામલે સમાધાન કરવા માટે દબાણ કરીને ગુરૂવારે રાતના સમયે રૂપાલી સિનેમા બિલ્ડીંગ પાસે એક માથાભારે યુવકે ફરિયાદી અને તેના પરિવાર પર ફાયરીંગ કરીને તમામને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે કારંજ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ આરોપીઓએ સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી પણ ફોન કરીને ધમકી આપી હતી.એક વર્ષ પહેલા કરીમખાન સૈયદ, તેના ત્રણ  પુત્રો મોહસીન પઠાણ, ઇમરાન પઠાણ અને વસીમ પઠાણે સાથે  મળીને ધંધાકીય અદાવતમાં મિરઝાપુર વિસ્તારમાં મોહંમદ બિલાલ બેલીમ નામના યુવકની છરીના ૪૦થી વધુ ઘા મારીને હત્યા કરી હતી.

યુવકની હત્યા કેસમાં ફરિયાદીએ ફાયરીંગ કરીને મારી નાખવાની ધમકી અપાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ, ગુરૂવાર

શહેરના મિરઝાપુર વિસ્તારમાં એક વર્ષ પહેલા એક યુવક પર પિતા અને તેના ત્રણ પુત્રોએ સાથે મળીને જીવલેણ હુમલો કરીને છરીને ૪૦થી વધારે ઘા ઝીંકીને  હત્યા કરી હતી. આ  હત્યા કેસ મામલે સમાધાન કરવા માટે દબાણ કરીને ગુરૂવારે રાતના સમયે રૂપાલી સિનેમા બિલ્ડીંગ પાસે એક માથાભારે યુવકે ફરિયાદી અને તેના પરિવાર પર ફાયરીંગ કરીને તમામને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે કારંજ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ આરોપીઓએ સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી પણ ફોન કરીને ધમકી આપી હતી.

એક વર્ષ પહેલા કરીમખાન સૈયદ, તેના ત્રણ  પુત્રો મોહસીન પઠાણ, ઇમરાન પઠાણ અને વસીમ પઠાણે સાથે  મળીને ધંધાકીય અદાવતમાં મિરઝાપુર વિસ્તારમાં મોહંમદ બિલાલ બેલીમ નામના યુવકની છરીના ૪૦થી વધુ ઘા મારીને હત્યા કરી હતી.