મોરબીમાં અસામાજિક પ્રવૃત્તિઓ સામે પાટીદાર સમાજનો ગરબા ક્લાસિસ બંધ કરવાનો નિર્ણય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મોરબી શહેરમાં આજે પાટીદાર જન ક્રાંતિ સભાનું આયોજન કર્યુ હતું જેમાં ડિસ્કો દાંડિયાની પાછળ ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓના દુષણને ડામવા જનસભાનું આયોજન કરાયું હતું જેમાં સ્વયંભૂ પાટીદાર સમાજના હજારોની સંખ્યામાં જનમેદની જોડાઈ હતી અને એક સુરમાં ગરબા ક્લાસિસ બંધ કરાવવાના નિર્ણયને વધાવ્યો હતો.
અસામાજિક પ્રવૃત્તિઓના દુષણને ડામવા જનસભાનું આયોજન કરાયું
મોરબી શહેરમાં રવાપર ચોકડીએ યોજાયેલા પાટીદાર જન ક્રાંતિ સભામાં તમામ પક્ષના રાજકીય આગેવાનો તેમજ ઉદ્યોગકારો સહિત સમાજ શ્રેષ્ઠિઓ ઉપસ્થિત રહ્યા હતા અને સામાજિક દૂષણ વિશે લોકોને જાગૃત કર્યા હતા સાથે શેરી ગરબા કલ્ચર તરફ વળવા લોકોને આહ્વાન કર્યું હતું. પાટીદાર સમાજની 17 હજાર યુવાઓની ટીમ સમાજ માટે કાર્યશીલ છે.
પાટીદાર સમાજ સંગઠીત રહેવા આહ્વાન કર્યું
મોરબી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ સમાજ માટે ખડેપગે હોવાનું અને અડધી રાત્રે ફોન કરવા લોકોને જણાવ્યું હતું અને મોરબીમાં કોઈ પણ વેપારીને પરેશાન કરવા કે સિડી ઉતારી બ્લેકમેઇલ કરવાની હિંમત ન કરે અને ભુતકાળમાં આવી રીતે બ્લેકમેઇલ કરાયાં છે એટલે પાટીદાર સમાજ સંગઠીત રહેવા આહ્વાન કર્યું હતું.
What's Your Reaction?






